તાજેતરમાં રણબીર કપૂર દ્વારા સંજયદત્તની બાયોપિકને લઇ સલમાને પ્રશ્નો ઉઠાવ્યા હતા તેનો જવાબ મુંહતોડ જવાબ રણબીરે સલમાનને આપ્યો હતો. સલમાને કહ્યું હતું કે ફિલ્મનો છેલ્લો ભાગ ખુદ સંજય દત્તે કરવાની જરૂર હતી. દબંગ ખાનનાં આ નિવેદનનો રણબીર કપૂરે જવાબ આપ્યો છે. તેણે કહ્યું કે “એવું ક્યારેય થયું નથી કે કોઇ વ્યક્તિએ પોતાની બાયોપિકમાં કામ કર્યું હોય.
આ ઉપરાંત રણબીરે કહ્યું કે આવુ કરવાથી કેરેક્ટરની ઇફેક્ટ મરી જાય છે. મને ખબર છે કે મારી તુલના સંજય દત્ત સાથે કરવામાં આવશે. આ કારણે મે ઘણી જ મહેનત કરી છે અને પાત્રને ન્યાય આપવાની કોશિશ કરી છે.” વધુમાં રણબીરે કહ્યું કે “લોકો મને 40 વર્ષનાં સંજય દત્તનાં રૂપમાં જુએ કે પછી 20 વર્ષનાં તેમને એવું લાગવું જોઇએ કે તેઓ એક કલાકારને જોઇ રહ્યા છે.
જે સંજય દત્તનું પાત્ર નિભાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાને કહ્યું હતુ કે “જો ફિલ્મનાં પછીનાં ભાગમાં સંજય દત્તે ખુદ પોતાનું પાત્ર નિભાવ્યુ હોત તો વધારે સારું હોત. ‘સંજૂ’ માટે મને લાગે છે કે કોઈ બીજુ કેમ આટલી હદ સુધી કરી રહ્યું છે? છેલ્લા 8-10 વર્ષવાળા રોલ. તમે તેની સાથે ન્યાય ના કરી શકો.