યોગ ગુરુ બાબા રામદેવ ડેરી પ્રોડક્ટ્સના બિઝનેસમાં ઊતર્યા બાદ કપડાના બિઝનેસમાં ઊતરવાની તૈયારી કરી રહી છે. રામદેવએ પતંજલિ પરિધાન માટે એક્સક્લૂઝિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવા માટે આનંદન માંગ્યુ છે. રામદેવએ ટ્વિટ કરીને આ માટે જાણકારી આપી છે. જાણો તમે કેવી રીતે લઇ શકો છો પતંજલિ પરિધાનની ફ્રેન્ચાઇઝી અને કેવી રીતે કરી શકો છો કમાણી...
બાબા રામદેવ હવે કપડા બજારમાં પણ ઊતરવાની જાહેરાત કરી ચુક્યા છે. પતંજલિ પરિધાનને ભરોસામંદ સાથીઓની જરૂર છે. એવામાં તમારી પાસે પણ પતંજલિ પરિધાનથી જોડાઇને કપડા બજારમાં મોટી કમાણી કરી શકો છો.
પતંજલિ પરિધાન ભારતના ઘણા મહત્વના શહેરોમાં પોતાની એક્સક્લૂસિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવા જઇ રહી છે. આ શહેરોમાં તમારે કંપનીના અપૈરલ એન્ડ ફેશન એક્સેસરીઝનો એક્સક્લૂસિવ બ્રાન્ડ આઉટલેટ ખોલવાનો રહેશે. તમને આ ટ્વિટમાં કંપની સાથે સંપર્ક કરીને પોતાની યોગ્યતા માટે જાણવા માટે જરૂરી નંબર અને પ્રક્રિયા પણ મળી જશે.
કેવી રીતે કરશો આવેદન
પતંજલિ પરિધાનના એક્સક્લૂસિવ આઉટલેટ ખોલવા માટે તમે ત્યારે આવેદન કરી શકો છો જ્યારે તમારી પાસે પોતાની પ્રોપર્ટી હોય. જો ના હોય તો તમે અરજી કરી શકો નહીં બીજી જરૂરીયાત એ છે કે તમારી એ પ્રોપર્ટી કોઇ રોડ મોલ અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સની પાસે આવેલી હોય.
પતંજલિ પરિધાન સ્ટોર ખોલવા માટે તમારી પાસે ઓછામાં ઓછી 2000 સ્કેવરફૂટ ફીટની જગ્યા હોવી જોઇએ. એની સાથે જ તમારી પાસે પ્રોપર્ટી સામે 20 ફીટની જગ્યા હોવી જોઇએ.