સમગ્ર વિશ્વમાં અંદાજિત ૫૪ કરોડ લોકો લો બેક પેઈનથી પીડાઈ રહ્યા છે.
વિકલાંગતા પાછળના કારણોમાંથી એક છે કરોડરજ્જુના રોગ
વિશ્વમાં 54 કરોડ લોકોથી વધુ પીડાઈ રહ્યા છે આ દુખાવાથી
જાણો તેના કારણે કયા કયા રોગો થવાની શક્યતા
વિકલાંગતા પાછળનાં મુખ્ય કારણોમાંથી એક કરોડરજ્જુના રોગ છે. સમગ્ર વિશ્વમાં અંદાજિત ૫૪ કરોડ લોકો લો બેક પેઈનથી પીડાઈ રહ્યા છે. કરોડરજ્જુને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો, તેના કારણે બ્લડ સર્ક્યુલેશન અને શ્વસન પર અસર થાય છે. માંસપેશીઓમાં નબળાઈ, શરીરના કેટલાક ભાગોમાં દુ:ખાવો થાય છે. અમુક લોકો તો તણાવનો સામનો પણ કરી રહ્યા છે.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિસર્ચ રિપોર્ટ અનુસાર, સ્પાઈનમાં દુખાવો થાય તો તેની અસર શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. કરોડરજ્જુને થયેલ નુકસાનને કારણે શરીર અને મન પર અસર થાય છે.
પીઠમાં દુ:ખાવો
સતત વાંકા વળીને બેસવાથી સ્પાઈન ડિસ્ક કમ્પેક્ટ થવા લાગે છે. ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાને કારણે સ્પાઈનની આસપાસ લિગામેન્ટ ટાઈટ થવા લાગે છે, જેનાથી સ્પાઈનની ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠમાં દુ:ખાવો થવા લાગે છે.
મસલ્સ નબળા પડી જાય છે
સ્પાઈન આર્કના અપ્રાકૃતિક ફેલાવાને કારણે પેટ અને તેની આસપાસની માંસપેશીઓ નબળી પડવા લાગે છે. લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે આ સમસ્યા થાય છે.
ગરદન અને ખભામાં દુ:ખાવો
સ્પાઈનને માથા સાથે જોડનાર સર્વાઈકલ વર્ટેબ્રા પર તણાવ પડવાને કારણે ગરદનમાં દુ:ખાવો થવા લાગે છે અને ખભા તથા પીઠની માંસપેશીઓને પણ નુકસાન થાય છે.
બ્રેઈન ફોગની સમસ્યા
મૂવમેન્ટ ના થવાને કારણે બ્રેઈનમાં પહોંચતા લોહી અને ઓક્સિજનની માત્રા ઓછી થવા લાગે છે. જેના કારણે વિચારવાની ક્ષમતા પર પણ અસર થાય છે. જેને બ્રેઈન ફોગ કહે છે. આ કારણોસર તેઓ કામકાજ અને પોતાના વ્યક્તિગત જીવન પર ધ્યાન આપી શકતા નથી. ક્યારેક ક્યારેક વ્યક્તિ મૂર્ખતાભર્યું વર્તન કરવા લાગે છે.
વર્તન પર અસર
વધુ સમય સુધી બેસી રહેવાથી ન્યૂરોપ્લાસ્ટિસિટી પર અસર થાય છે. ન્યૂરોન્સ ઈન્ફોર્મેશન મેસેન્જર્સની એક્ટિવિટી પણ નબળી પડવા લાગે છે. જેના કારણે વ્યક્તિ માનસિક રીતે નબળી પડવા લાગે છે અને તણાવમાં વધારો થતો જાય છે.