ગઇકાલે 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા બાદ આજે છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ
દેશમાં 20 લોકોના કોરોનાથી મોત
સમગ્ર દેશમાં કોરોનાના સક્રિય કેસ 91,779
દેશમાં કોરોના કેસોને લઈ આજે થોડી રાહત જોવા મળી છે. ગઇકાલે 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા બાદ આજે છેલ્લા 24 કલાકમાં 15,940 નવા કેસ નોંધાયા છે. આ તરફ છેલ્લા 24 કલાકમાં દેશમાં 20 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં, સમગ્ર દેશમાં કોરોનાના સક્રિય કેસ 91,779 છે અને દૈનિક હકારાત્મકતા દર 4.39% છે.
भारत में पिछले 24 घंटों में कोरोना के 15,940 नए मामले सामने आए। पिछले 24 घंटों में कोरोना से 20 लोगों की मृत्यु हुई।
देशभर में अभी कोरोना के सक्रिय मामले 91,779 हैं और दैनिक पॉजिटिविटी दर 4.39% है। pic.twitter.com/0GsWw2aMPm
ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજાર 336 નવા કેસ સામે આવ્યા હતા. ગઇકાલે દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 88,284 થઇ હતી. જોકે ગઇકાલે નોંધાયેલા કેસ એ 20 ફેબ્રુઆરી બાદ 24 કલાકની અંદર નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
ગુજરાતમાં પણ કોરોનાએ ચિંતા વધારી
ગુજરાતમાં ગઇકાલે કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. જેમાં કોરોનાના વધુ 416 કેસ નોંધાતા હડકંપ મચ્યો હતો. આ સાથે 230 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા હતા. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1927 પહોચી હતી. આ સાથે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 4 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.