નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે અને ચોમાસાની ઋતુમાં જિલ્લાની વનરાજી એકદમ ખીલી ઉઠે છે. ત્યારે નર્મદા જિલ્લાના જુના ઘાટાનો ટકારા ધોધ ચોમાસામાં એકદમ ખીલી ઉઠે છે. આ ધોધ ખુબ જૂનો અને જાણીતો છે. જૂનાઘાટાનો આ ટકારા ધોધ મુખ્ય માર્ગથી બિલકુલ 200 મીટર જેટલો જ દૂર છે. પણ ધોધનો નજારો માણવા ઉપરથી નીચે ઉતરવું પડે છે જે મુશ્કેલી ભર્યું હોય છે. એટલે પ્રવાસીઓ આવે છે ખરા પણ આ ધોધની મઝા લીધા વગર જાય છે. જ્યારે કોલેજીયન યુવકો આવે છે જેઓ નીચે ઉતારી ધોધની મઝા લે છે. આમ, વિકાસ ના અભાવે હજુ સુધી અહીં પ્રવાસીઓ પહોંચ્યા નથી. ત્યારે સરકાર આ ધોધને વિકસાવવા માટે પ્રયત્નો કરે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે.
નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્યથી ભરપૂર છે, ચોમાસાની ઋતુમાં જિલ્લાની વનરાજી એકદમ ખીલી ઉઠે છે, સાત પુડાની ગીરીમાળાની ખોળે ઉછળતો આ આ નર્મદા જિલ્લો એટલો નયન રમ્ય બની જાય છે કે જેને જોવા પ્રવાસીઓ આતુર બને છે. ત્યારે અહીંયા પહાડીઓ પરથી ધસમસ્તા પ્રવાહથી બનતા ધોધ પણ અનેક છે. નર્મદા જિલ્લાના જુના ઘાંટાનો આ ટકારા ધોધ ચોમાસામાં એકદમ ખીલી ઉઠે છે. આ ધોધ ખુબ જૂનો અને જાણીતો છે પરંતુ વિકાસના અભાવે હજુ પ્રવાસીઓ અહીં સુધી પહોંચ્યા નથી. અમારા અહેલા બાદ આપણે ચોક્કસ એમ થશે વારંવાર જોવાનું જેમાં સ્નાન કરવાનું મન થશે.
ધોળા દૂધ જેવા પાણીનો પ્રવાહ ખુબ આહલાદક
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખોજલવાસથી વળી જુના ઘાંટા ગામે પહાડીમાં વહેતી ખાડી પાર એક સુંદર ધોધ આવેલો છે, જેને સ્થનિકો ટકાઉ ધોધ કહેતા બાદમાં જે ટકારા ધોધ કહે છે તો કોઈ ઘાંટા ધોધ, કોઈએ ટંકારા ધોધ એવા નામોથી અહીંયા પ્રચાલિત છે. આ ધોધ ચોમાસામાં એટલો સુંદર દેખાય છે કે 25થી 30 મીટર ઉંચેથી ધોળા દૂધ જેવા પાણીનો પ્રવાહ ખુબ આહલાદક લાગે છે. જ્યાં બેસીને જોયા કરવાનું મન થાય સાથે અહીંયા સ્નાન કરવાનું સરળ છે સુરક્ષિત પણ છે.
નર્મદા જિલ્લાનું એક નજરાણું બની જાય તેમ છે આ ધોધ
જૂનાઘાટાનો આ ટકારા ધોધ મુખ્ય રોડને બોલકુલ 200 મીટર જેટલો જ દૂર છે પણ જે ધોધનો નજારો માણવા ઉપરથી નીચે ઉતરવું પડે છે. જે મુશ્કેલી ભર્યું હોય છે એટલે પ્રવાસીઓ આવે છે પણ આ ધોધની મઝા લીધા વગર જાય છે. કોલેજીયન યુવકો આવે છે જેઓ નીચે ઉતારી ધોધની મઝા લે છે. પરંતુ જો સરકાર આ ધોધ ને પ્રવાસન વિભાગમાં લે તો અને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો આ નર્મદા જિલ્લાનું એક નજરાણું બની જાય અને સ્થળ વધી જાય, સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળે પ્રવાસીઓને ફરવાનું એક સુંદર સ્થળ મળે એમ છે તો આ ધોધને વિકાસની જરૂર છે.
આ ધોધ 100 મીટરની ઉંચાઈ થઇ પડતો જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો
નર્મદાનો જુના ઘાંટાનો આ ટકારા ધોધ આદિઅનાદિ કાળથી આવેલો છે. પરંતુ જેની સાથે કેટલીક વાતો જોડાયેલી છે જેમાં સ્થાનિકોનું કહેવું છે. આ ધોધ 100 મીટરની ઉંચાઈ થઇ પડતો જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાતો. જોકે જેતે રાજા રજવાડાના સમયે આ ધોધના આવાજથી રાજાની પ્રિય ઘોડી ચમકતી હતી અને ભડકતી હોય રાજાએ વણઝારાઓને બોલાવી આ ધોધને ટાંચી ટાંચીને અડધા ઉપર ખોદી કાઢ્યો જેથી અવાજ દૂર દૂર સુધીના જાય તારથી આ ધોધ નાનો બની ગયો અને અવાજ પણ ઓછો કરે છે એવી લોકવાયકાઓ આ ધોધ સાથે જોડાયેલી છે.
વધુ ખર્ચ નહિ થોડો થોડો ખર્ચ દર વર્ષે કરે તો પણ...
નર્મદામાં કુદરતી સૌંદર્ય લખલૂંટ છે એક બે સ્થળો પર કરોડોના ખર્ચ કરતા આવા સ્થળો પર ખર્ચ સરકાર કરે. એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે મુકવામાં આવે અને વધુ ખર્ચ નહિ થોડો થોડો ખર્ચ દર વર્ષે કરે તો પણ આગામી પાંચ વર્ષમાં આ સ્થળ ખુબજ પ્રસિદ્ધ થઇ જાય અને આ વિસ્તાર પણ વિકસિત થઇ જાય. સરકાર અને નર્મદા પ્રવાસન સ્થળ આ વિસ્તારને વિકસાવવું રહ્યું.