ભારત માટે બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં રમનારા તજિન્દર પાલ સિંહની આર્થિક સ્થિતિ સારી નથી. તેમને મદદની જરૂર છે.
8 વર્ષની ઉંમરમાં ગુમાવી આંખો
દેશ માટે રમ્યો હતો વર્લ્ડ કપ
બેરોજગાર ક્રિકેટર સરકાર પાસે માંગે છે મદદ
સરકાર નેત્રહીન ખેલાડીઓની કોઈ મદદ કરતી નથી
ભારત દેશમાં ક્રિકેટરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે અને તેમને વધુ સન્માન આપવામાં આવે છે, પરંતુ અમુક ક્રિકેટરો એવા પણ છે, જેને દેખાતુ હોતુ નથી. તેમ છતા તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનુ નામ રોશન કરી રહ્યાં છે. તેમ છતા તેને કોઈ જાણતુ નથી. સરકાર પણ આવા ખેલાડીઓની કોઈ મદદ કરતી નથી અને ખૂબ જ મુશ્કેલીથી તેઓ પોતાનુ ગુજરાન ચલાવે છે. આવો એક ખેલાડી છે જાલંધરનો નેત્રહીન ક્રિકેટર તજિન્દર પાલ સિંહ.
સરકાર નેત્રહીન ખેલાડી તજિન્દર સિંહની કોઈ મદદ કરતી નથી
તજિન્દર સિંહ જે બ્લાઈન્ડ ક્રિકેટમાં પંજાબની ટીમના એકમાત્ર ખેલાડી છે અને તેમણે ભારત માટે વર્લ્ડ કપ રમ્યો છે પરંતુ તેમ છતા પણ તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી રહી નથી. તજિન્દર પાલે કહ્યું કે 2014માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વ કપની ફાઈનલ મેચ હતી. તજિન્દરે આ મેચમાં બે વિકેટ લીધી હતી અને દેશને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યો હતો.
નરેન્દ્ર મોદીને મળ્યાં હતા તજિન્દર
વર્લ્ડ કપ બાદ જ્યારે તેઓ ભારત આવ્યાં તો તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. કેન્દ્ર સરકારે બધા ખેલાડીઓને વિશ્વ કપ જીતતા રોકડ ઈનામ આપ્યું હતુ. રમત વિભાગમાં નોકરી આપવાની વાત પર તજિન્દર પાલે કહ્યું, બીજા રાજ્યોની સરકારોએ ખેલાડીઓને રમત વિભાગમાં સારા પદો પર નોકરી આપી છે, પરંતુ પંજાબ સરકારે હજી સુધી નોકરી આપી નથી.
8 વર્ષની ઉંમરમાં ગુમાવી આંખની રોશની
આ સંદર્ભે તજિન્દર સિંહ સાથે વાતચીત કરવામાં આવી અને તેમણે જણાવ્યું કે તેઓ આશરે 8 વર્ષના હતા ત્યારે એક દુર્ઘટનાના કારણે તેમની આંખ જતી રહી હતી. રમવાનુ ઝૂનુન હતુ, જે તેમણે ના છોડ્યુ. જેના આધારે તેઓ દહેરાદૂન ગયા જ્યાં તેમણે બ્લાઈન્ડ ક્રિકેટ રમવાનુ શીખ્યુ. તેમણે જણાવ્યું કે આ સામાન્ય ક્રિકેટની જેમ છે, પરંતુ અંડરઆર્મ બોલિંગ કરવામાં આવે છે અને ખેલાડીઓની ત્રણ કેટેગરી હોય છે. જો ક્રિકેટના નિયમોની વાત કરીએ તો આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી થોડુ અલગ છે, પરંતુ તેઓ ઘણો અભ્યાસ કરે છે અને સખત પરિશ્રમ કરે છે.