મુંબઇમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાના કાવતરા મામલામાં અમેરિકામાં સજા કાપી ચૂકેલા આતંકવાદી તહવ્વુર રાણાની અમેરિકાના લૉસ એન્જિલિસ શહેરમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. તહવ્વુર રાણાને ભારત મોકલવાની પ્રબળ શક્યતા છે. મુંબઇ આતંકી હુમલામાં ઇચ્છિત પાકિસ્તાની-કનાડાઇ મૂળના તહવ્વુર રાણા વિરુદ્ધ ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો મામલો હજી બાકી છે.
26/11 આતંકી હુમલાના આરોપીની અમેરિકામાં ધરપકડ
લોસ એન્જેલસમાંથી આતંકી તહવ્વુર રાણાની ધરપકડ
તહવ્વુર રાણા ભારતથી પ્રત્યાર્પણનો કરી રહ્યો છે સામનો
પ્રાપ્ત મળતી વિગત અનુસાર બે દિવસ પહેલા જેલમાંથી જામીન મળ્યાં હતા, પરંતુ અમેરિકા પોલીસ દ્વારા બીજી વખત ધરપકડ કરવામાં આવી છે. ભારત સરકાર ટ્રમ્પ તંત્રને પુરા સહયોગ સાથે પાકિસ્તાન-કેનેડિયાઇ નાગરિકના પ્રત્યાર્પણ માટે જરૂરિયાત કાગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તહવ્વૂર રાણાની જેલની સજા 14 વર્ષની ડિસેમ્બર 2021 પુર થવાની હતી, પરંતુ તેને જલ્દી છોડવામાં આવ્યો હતો.
ષડયંત્ર કરવાના મામલામાં 2009માં કરાઇ હતી ધરપકડ
તહવ્વુર રાણાની મુંબઇ 26/11 હુમલાના ષડયંત્ર રચવાના મામલે 2009માં ધરપકડ કરવામાં આવી હતી. લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદી તરફથી કરવામાં આવેલ હુમલામાં અમેરિકાના નાગિરકો સહિત 166 લોકોના મૃત્યું થયા હતા.
પોલીસે 9 આતંકવાદીઓને ઘટનાસ્થળે માર્યા હતા અને જીવતો પકડાયેલ આતંકવાદી અજમલ કસાબને પછી ફાંસી આપી દેવામાં આવી હતી. તહવ્વુર રાણાને 2013માં 14 વર્ષની સજા થઇ હતી.
આમ 26/11 આતંકી હુમલાના આરોપીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જેલસમાંથી આતંકી તહવ્વુર રાણાની ધરપકડ કરવામાં આવી છે. 2 દિવસ પહેલા તહવ્વુર રાણાને જામીન મળ્યા હતા. તહવ્વુર રાણા ભારતથી પ્રત્યાર્પણનો સામનો કરી રહ્યો છે. પ્રત્યાર્પણ કેસને લઇ US અધિકારીઓએ ફરી ધરપકડ કરી છે. 26/11 આતંકી હુમલામાં તહવ્વુર રાણા વોન્ટેડ છે.