દ્રારકામાં જમાતીઓ માટે બનાવેલા ક્વૉરન્ટાઈન સેન્ટરમાં એક મોટો અપરાધ સામે આવ્યો છે. અહીં જમાતીઓએ બોટલોમાં યૂરિન ભરીને ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે. તબલીગી જમાતના લોકોએ એક પછી એક વિચિત્ર અને ચોંકાવનારા કામ કરવાને લઈને તેમની વિરુદ્ધમાં FIR નોંધવામાં આવી છે. અગાઉ પણ ડોક્ટર્સ અને નર્સ પાસે વિચિત્ર માંગણીઓ કરવા અને નર્સ સાથે અશ્લીલ વર્તન કરવાને લઈને પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
દ્રારકામાં 200 જમાતીઓને કરાયા છે ક્વૉરન્ટાઈન
જમાતીઓ કરે છે જર્ઘન્ય અપરાધ
જમાતીઓ વિરુદ્ધ પોલીસે નોંધી FIR
ક્વૉરન્ટાઈન કરાયેલા જમાતીઓ સતત લોકોને હેરાન કરી રહ્યા છે. તેઓ ક્વૉરન્ટાઈન સેન્ટર્સથી લોકોને પરેશાન કરી રહ્યા છે. હાલમાં કેટલાક ફ્લેટ્સમાં રહેતા જમાતીઓએ બોટલોમાં યૂરીન ભરીને બારીઓમાંથી બોટલો બહાર ફેંકવાની વાત સામે આવી છે. આ સમયે અહીં ફરજ પર હાજર સિવિલ ડિફેન્સ પર્સનલે રિપોર્ટ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધી છે.
200 લોકો છે અહીં હાજર
મળતી માહિતી મુજબ ચાર ફ્લેટને ક્વોરન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સમગ્ર બિલ્ડિંગમાં આ જ ફ્લેટ્સ છે જેની બારીમાંથી ફેંકેલી કોઈ પણ વસ્તુ પમ્પ હાઉસની નજીક આવી શકે છે. આ બિલ્ડિંગમાં 200 જેટલા લોકોને અલગ રાખવામાં આવ્યા છે અને આ બધા તે જ લોકો છે જે મરકઝનો ભાગ હતા. જો કે, વીડિયો રેકોર્ડિંગ અથવા સીસીટીવી ફૂટેજ હાજર ન હોવાથી કોઈ આરોપીનું નામ એફઆઈઆરમાં નથી આવ્યું.
હોસ્પિટલમાં પણ કર્યું હતું બેજવાબદારી ભર્યું વર્તન
ગાઝિયાબાદમાં બનાવવામાં આવેલા ક્વૉરન્ટાઇન સેન્ટરથી તબલીગી જમાતના લોકો સાથેના અપમાનજનક વર્તન બાદ ગાઝિયાબાદમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અહીં જમાતીઓએ તેમના પેન્ટ ઉતારીને હોસ્પિટલમાં ફરવાની હિંમત કરી હતી. નર્સોને અશ્લીલ હરકતો અને ગંદા ઈશારા કરીને અશ્લીલ ગીતો ગાયા હતાં. ત્યાર બાદ હોસ્પિટલ વહીવટી તંત્રે પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગુનો પણ નોંધ્યો હતો.