તબલીગી જમાતના મરકજ મામલામાં દિલ્હી પોલીસે આજે 20 ચાર્જશીટ દાખલ કરાઇ છે. 20 દેશોના 83 વિદેશીઓની વિરુદ્ધ 14,000 પેજની 20 ચાર્જશીટ દાખલ કરી દેવાઇ છે. બતાવામાં આવી રહ્યું છે કે ચાર્જશીટમાં મરકજ મેનેજમેન્ટના રોલનો ઉલ્લેખ કરાયો છે તેની સાથે તબલીગી જમાતના ચીફ મૌલાના સાદનો ઉલ્લેખ કરાયો છે.
દિલ્હી પોલીસ તરફથી 20 દેશોના 83 વિદેશી જમાતીઓની વિરુદ્ધ 3 અલગ-અલગ કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરાઇ છે. તેમના પર ફોરેનર એક્ટ, અપેડિમિક ડિસીસી એક્ટ અને ડિઝાસ્ટર એક્ટની કલમ લગાવવામાં આવી છે. સાકેત કોર્ટ 12મી જૂને આ આ ચાર્જશીટ ધ્યાને લેશે તથા તેના પર સુનાવણી કરશે.
હવે આ ચાર્જશીટથી મરકજના મૌલાના સાદની મુશ્કેલી વધશે, કેમકે જે વિદેશી જમાતીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઇ છે, તે સૌના વિઝા ફોર્મમાં નિઝામુદ્દીન સ્થિત જમાતના મરકજનું સરનામુ આપવામાં આવ્યું હતું. તેનો અર્થ એવો થયો કે તે વિદેશથી મરકજના કાર્યક્રમમાં હાજર રહેવા આવ્યા હતા.
તમામ વિદેશીઓ વિરુદ્ધ ચાર્જશીટ
જમાતીઓ સાથેની વાતચીતમાં ખુલાસો થયો હતો કે 20 માર્ચ બાદ મરકજમાં રોકાવા માટે મૌલાના સાદે જ કહ્યું હતું. તમામ વિદેશી જમાતીઓમાંથી પહેલા 41ને નોટિસ ફટકારીને તપાસ કરવામાં આવી હતી અને પૂછપરછ કરાઇ હતી. કુલ 943 વિદેશી જમાતીઓની પૂછપરછ કરાઇ હતી અને તમામ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થશે.