તબલીગી જમાતને દિલ્હીમાં કાર્યક્રમને કારણે ભારતને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ફક્ત ભારતમાં જ નહીં પડોશી દેશ પાકિસ્તાનમાં પણ તબગીલી જમાત ટીકાને પાત્ર બન્યુ છે . જમાતે પાકિસ્તાનમાં ગત મહિને દર વર્ષે થતા વાર્ષિક કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. ‘ડોન’ના રિપોર્ટ મુજબ પંજાબ પ્રાંતની સરકાર દ્વારા ભારે વિરોધ છતાં જમાતે અહી પોતાનો વાર્ષિક કાર્યક્રમ કર્યો હતો. પંજાબ સ્પેશિયલ બ્રાંચે કહ્યું કે 10 માર્ચે થયેલા આ કાર્યક્રમમાં 70થી 80 હાજાર લોકોએ હાજરી આપી હતી.
પાકિસ્તાનમાં તબલીગી જમાતે કહેર વર્તાવ્યો
વિદેશથી જમાતના કાર્યક્રમમાં આવેલા અહીં જ ફસાયા
તબગીલી જમાત ભારત સહિત પાકિસ્તાન અને મલેશિયામાં ટીકાનું પાત્ર બની
તબલીગી જમાતના આયોજકનો દાવો છે કે તેમના વાર્ષિક કાર્યક્રમમાં 2.50 લાખ લોકો આવ્યા હતા. 40 દેશોમાંથી લગભગ 3 હજાર લોકો આવ્યા હતા. તે લોકો અત્યારે પાકિસ્તાનમાંથી બહાર નથી જઈ શક્યા. કેમ કે પાકિસ્તાને કોરોનાને લીધે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા બંધ કરી દીધી હતી.
તબગીલી જમાતના 1 000થી વધારે સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેના કારણે ભારત અને મલેશિયામાં પણ સંગઠનની મન મુકીને ટીકા કરવામાં આવી રહી છે. ભારતમાં સામે આવેલા કુલ કેસમાંથી 30 ટકા કેસ જમાતીઓના છે. પાકિસ્તાનની વાત કરીએ તો હજુ સુધી 4196 કેસ સામે આવ્યા છે જેમાંથી 60ના મોત થયા છે.
તબલીગી જમાતના રાયવિંદ શહેરમાં થયેલા કાર્યક્રમ બાદ સેંકડો જમાતિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. એ બાજ 2 લાખની વસ્તી વાળા આ શહેરમા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં મેડિકલ સ્ટોર કે રાશનની દુકાન પણ ખોલવા દેવાતી નથી. સંગઠન પર આરોપ છે કે તેમણે કાર્યક્રમને લઈને તંત્રના આદેશ અને સૂચનાને નજર અંદાજ કરી દીધા છે.
જમાત તરફથી ફક્ત એટલું કરવામાં આવ્યું કે કાર્યક્રમ 6 દિવસની જગ્યાએ 3 દિવસ કરવામાં આવ્યો હતો. રાયવિંદ મરકજમાં અત્યાર સુધીમાં લગભગ 5000 લોકો છે. જેમાં 3 હજાર વિદેશી છે. પ્રશાસતન જમાતીઓ પાતે સતત સહકારની અપીલ કરી રહ્યું છે.