કોરોના વાયરસનો ભય ધીમે ધીમે વધી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં ટીવી એક્ટર શિવિન નારંગ તથા અંકિતા લોખંડેની બિલ્ડિંગમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતા આખી બિલ્ડિંગ સીલ કરવામાં આવી હતી. આ પછી સીરિયલ 'તારક મહેતા..' માં બાઘાનો રોલ પ્લે કરતા તન્મય વેકરિયાનું બિલ્ડિંગમાં કોરોના વાયરસના 3 કેસ પોઝિટિવ આવતા બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યુ હતુ.
જોકે હવે આ યાદીમાં 'તારક મહેતા..' ની જ એક્ટ્રેસ સોનાલિકા જોશી એટલે કે માધવી ભીડેની મુંબઇની કાંદિવલી ઇસ્ટ સ્થિત બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગાં રહેતા એક વ્યકિતને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો છે. જોકે આ વાતની પુષ્ટિ એક્ટ્રેસ પોતે જ કરી છે કે 27 માર્ચથી તેની બિલ્ડિંગ સીલ છે.
એક્ટ્રેસ કહ્યુ કે, અમે લોકો 27 માર્ચથી અમારા ઘરમાં બધં છીએ અને અમને ક્વૉરન્ટીનમાં રહેવા માટે કહેવામાં આવ્યુ છે. એટલે કે ગત 14 દિવસથી સોનાલિકા જોશી અને તેમનો કોરોના વાયરસના કારણે ઘરમાં બંઘ છે.
આ સિવાય 'તારક મહેતા...' ના બાઘાએ કહ્યુ કે, મંગળવાર (7 એપ્રિલ)થી 14 દિવસ માટે તેમનું બિલ્ડિંગ ક્વૉરન્ટીન કરવામાં આવ્યું છે. સોસાયટીમાંથી એક પણ વ્યક્તિ બહાર જઈ શકશે નહીં અને કોઈ પણ વ્યક્તિ અંદર આવી શકશે નહીં. તન્મયે ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓ જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. આ ત્રણેય દર્દીઓને મુંબઈના અંધેરીમાં આવેલી સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે.