મુંબઇઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. સામાજિક મુદ્દા અને કોમેડી વચ્ચે કંઇક સિલિયલમાં નવો ટ્વિસ્ટ આવે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી નીચલા સ્તરે આવી ગઇ છે. ત્યારે શો મેકર્સ ઓડિયન્સને પોતાના તરફ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ કારણે શોમાં નવા-નવા ટ્વિસ્ટ દેખાડવામાં આવી રહ્યા છે.
જો કે શોમાં જેઠાલાલના મિત્ર ગુપ્તાજીએ તેમને વેપારની મુશ્કેલીઓ સામે લડવા માટે દુકાન બંધ કરવાની સલાહ આપી. જ્યારબાદ જેઠાલાલ ઘણા ટેન્શનમાં છે. જેઠાલાલને અહેસાર થયો કે તેઓ નાનું-નાનું વેચાણ કરી રહ્યા છે. જેઠાલાલને હવે દુકાન ચલાવવામાં મજા નથી આવી રહી. તેઓ વિચારી રહ્યા છે કે દુનિયાનો સૌથી મુશ્કેલીઓ ધંધો કરવામાં છે.
જેઠાલાલે દુકાન વેચવા માટે આપી એડ!
માહિતી અનુસાર શોના આવનારા એપિસોડ્સમાં દેખાડવામાં આવશે કે જેઠાલાલ પરેશાન થઇને દુકાન વેચવાનો નિર્ણય લઇ લે છે. ત્યારે આત્મારામ ભીડે છાપામાં જુએ છે કે જેઠાલાલે દુકાન વેચવા માટે એડ આપી છે. આ સમાચાર વાંચીને ભીડે ચોંકી ઉઠે છે. તે તારક મેહતાને મળવા માટે તેમના ઘરે જાય છે. ત્યાર બાદ સમગ્ર ગોકુળધામ સોસાયટી માત્ર જેઠાલાલના પરિવારને છોડીને તારક મેહતાના ઘરે આ વાતને લઇને ચર્ચા કરે છે. તમામ લોકો જેઠાલાલ સાથે આ વીશે વાત કરવાનો નિર્ણય લે છે.
જેઠાલાલ દુકાન વેચશે?
ત્યારે બીજી તરફ જેઠાલાલ દુકાન વેચવા અને ગુજરાત પરત ફરવાની પોતાની દુવિધાઓ વિશે બાપુજી સાથે વાત કરશે. પરંતુ બાપુજી તેને આશ્વાસન આપશે અને આ વીશે વધુ ન વિચારવા માટે કહેશે.
આ વચ્ચે મહેતા જેઠાલાલને બોલાવશે. તમામને એક સાથે જોઇને જેઠાલાલ ચોંકી જશે. પરંતુ આ લોકો તેની વાત શરૂ કરે તે પહેલા બાપુજી જેઠાલાલને કંપાઉન્ડમાં બોલાવશે. તમામ બહાર આવશે. બહાર આવતા ખબર પડે છે કે બાપુજીએ એડ જોઇ લીધી છે અને તેઓ આના કારણે નારાજ છે. એડ જોયા બાદ જેઠાલાલ પણ ચોંકી જાય છે. બાદમાં જેઠાલાલની પાસે દુકાનની ખરીદી કરવા વાળાના ફોન આવવા લાગશે. આગળ જોવું ઇન્ટ્રેસ્ટિંગ હશે કે ગોકુળધામના સભ્ય જેઠાલાલની આ મુસીબતથી નિકળવામાં મદદ કરી શકશે કે નહીં?