તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દર્શકો આતુરતાથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તે શોમાં ક્યારે પાછી આવશે એ અંગે અવારનવાર ફેન્સ પૂછતા રહે છે. જોઈ લો શોના પ્રોડ્યૂસરે શું કહ્યું.
દર્શકો આતુરતાથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છે
દયા શોમાં ક્યારે પાછી આવશે એ અંગે અવારનવાર ફેન્સ પૂછતા રહે છે.
શોના પ્રોડ્યૂસરે જણાવી આ વાત
તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદી અનેક વખત દિશા વાકાણીની શોમાં વાપસીને લઈને જવાબ આપી ચૂક્યા છે. જોકે, તેમણે ક્યારેય નથી જણાવ્યું કે દયા શોમાં ક્યારે પરત ફરશે. હવે અસિત મોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, દિશા વાકાણી શો છોડવા માંગે તો તેઓ નવી દયા બેન સાથે શોમાં આગળ વધશે.
હાલમાં જ જ્યારે તારક મહેતાના પ્રોડ્યૂસર અસિત મોદીને દયાબેન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, મને લાગે છે કે હવે મારે જ દયાબેન બનવું જોઈએ. છેલ્લા ઘણાં વર્ષોથી તે પાછી ક્યારે આવશે તેને લઈને સવાલો પૂછવામાં આવી રહ્યાં છે. અમે પણ લાંબા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા છે. જો દિશા વાકાણી શો છોડવાની ઈચ્છા વ્યક્ત કરશે તો શો નવી દયાબેન સાથે આગળ વધશે.
અસિત મોદીએ આગળ કહ્યું- જોકે હાલ મને લાગે છે કે, દયાની વાપસી અને પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ મહામારીના સમયમાં એટલા સીરિયસ ઈશ્યૂ છે કે મને લાગે છે કે આ બધી બાબતો મહત્વ નથી રાખતી અને તેની રાહ જોઈ શકાય છે. અમે સેફ્ટી પ્રોટોકોલ અને શૂટિંગ જારી રાખવા માટે પણ વિચારી રહ્યાં છે. જેથી લોકોની આવક પર અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પર ઘણું જ અસરકારક છે અને જો અમે તેની પરમિશન મળી જશે તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.