સોની યે પર ખૂબ જ ટૂંક સમયમાં ખાસ બાળકો માટે તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલનું એનિમેટેડ વર્ઝન રજૂ કરવામાં આવી રહ્યું છે.
તારક મહેતા કા ઉલટા ચશ્માના દર્શકો માટે સારાં સમાચાર
હવે શોમાં જોવા મળશે દયાબેન
અસિત મોદીએ શો વિશે કહી આ ખાસ વાત
સોની યે પર ખૂબ જ ટૂંક સમયમાં ખાસ બાળકો માટે તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલનું એનિમેટેડ વર્ઝન રજૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્ટૂન શોમાં દયાબેન, જેઠાલાલ, ટપ્પુ, બાપુજી, પોપટલાલ અને શોના બધાં પાત્રોનું એનિમેટેડ વર્ઝન હશે. એક કાર્ટૂન તરીકે તારક મહેતા કા ઉલટા ચશ્માના નિર્માતા અસિત મોદી તારક મહેતા કા છોટા ચશ્મા લાવી રહ્યાં છે.
અસિત મોદીનું સપનું પૂરું થયું
એક સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, મારો શોને 13 વર્ષ થઈ ગયા છે. મારું સપનું હતું કે આ શો બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવીએ. હું મારા શોનું એનિમેટેડ વર્ઝન લાવવા માટે ઘણાં લાંબા સમયથી વિચારી રહ્યો છું, ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના એસોસિએશનની સાથે પૂર્ણ થયું.
ઓરિજિનલ શોમાં ભલે નહીં, પરંતુ તારક મહેતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન ચોક્કસથી જોવા મળશે. આ અંગે અસિત મોદી કહે છે, હા અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ટેન્શન નથી કે કોઈ કલાકાર શો છોડી દેશે. કારણ કે દરેક એનિમેટેડ છે, તો પછી જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ વર્ઝનમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પુસેના પણ હશે.
એનિમેટેડ સીરિઝમાં શું ખાસ હશે?
શોમાં ખાસ શું છે તે અંગે અસિતે કહ્યું કે, હવે દર્શકોને જોવા માટે બે વર્ઝન મળશે અને માત્ર બાળકો જ નહીં, પરંતુ તેમનો પરિવાર પણ આ એનિમેટેડ સીરિઝ એન્જોય કરશે. બાળકોએ કોરોનાના સમય દરમિયાન ઘણું બધું મિસ કર્યું છે. સ્કૂલ, મિત્રો, ટિફિન બોક્સ તો આ એનિમેટેડ વર્ઝન તેમને આનંદની સાથે સાથે કોમેડી આપશે અને તેમને ઘરે કંટાળો આવશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, કોવિડના સમયમાં પણ મારી ટીમે ખૂબ જ સખત મહેનત કરી છે અને કોવિડના સમયમાં એક શો શરૂ કરવો સરળ નથી. પરંતુ અમે તારક મહેતાનું એનિમેટેડ વર્ઝન રજૂ કરી રહ્યાં છીએ. અભિનેતાઓ પણ તેમના પાત્રોમાં અવાજ આપશે. તો હું ચાહકોને કહીશ કે તમે તારક મહેતા ક ઉલટા ચશ્માને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, તેવી જ રીતે એનિમેટેડ વર્ઝન તારક મહેતા કા છોટા ચશ્માને પણ પ્રેમ આપો.