તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 12 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. પરંતુ એકવાર એવું પણ બન્યું હતું કે, શોમાં આ કારણ જેઠાલાલ અને બબીતાજી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.
તારક મહેતા શો દર્શકોનો છે ફેવરિટ
જેઠાલાલ અને બબીતાજીને દર્શકો ખૂબ પસંદ કરે છે
એકવાર આ કારણથી જેઠાલાલ અને બબીતાજી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલ અને બબીતાજીની જુગલબંધી દર્શકોને ખૂબ હસાવે છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે જેઠાલાલે બબીતાજી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તમને જણાવી દઈએ કે આ ઘટના થોડાં વર્ષ પહેલાંની છે, જ્યારે જેઠાલાલ અને બબીતાજી વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. હકીકતમાં એકવખત જેઠાલાલ એટલે કે દિલીપ જોષી એક મિત્રના સેટ પર પહોંચ્યા હતા, જ્યાં મિત્રોએ ખાસ વિનંતી કરી હતી.
દિલીપના બધાં મિત્રો અભિનેત્રી મુનમુન દત્તા (બબીતાજી)ની સાથે ફોટો ક્લિક કરવા માંગતા હતા. જેઠાલાલના મિત્રોએ તેમને વિનંતી કરી કે તે મુનમુનજી સાથે તેમનો ફોટો ક્લિક કરાવી દે. મિત્રોની ઈચ્છાને કારણે દિલીપ જોશીએ મૂનમૂનને તેના મિત્રો સાથે એક ફોટો સેટ પર જ ક્લિક કરવાનું કહ્યું.
પરંતુ મુનમુને ફોટો ક્લિક કરાવવાની ના પાડી દીધી. મુનમુને મૂડ ખરાબ હોવાનું કહીને ના પાડી દીધી. આ ઘટના પછી દિલીપ દુખી થઈ ગયા હતા. એવું કહેવાય છે કે, દિલીપ મુનમુનથી નારાજ થઈ ગયા હતા અને ઘણાં સમય સુધી બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી. દિલીપે મુનમુનને એટલે સુધી કહી દીધું હતું કે તમે દુનિયાની સામે આપણી યૂનિટની ઈમ્પ્રેશન ખરાબ કરી દીધી.
જોકે, આ ઘટના થોડા વર્ષો જૂની છે. હવે આપણે એવું માની શકીએ કે હવે દિલીપ જોશી અને મુનમુન દત્તા વચ્ચેના સંબંધો સુધરી ગયા હશે. બંનેની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી જબરદસ્ત છે. અત્યારે, આ લોકપ્રિય શો વિવાદમાં છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો આવ્યા હતા કે કેટલાક સેલેબ્સે નિર્માતા અસિત કુમાર મોદીના કારણે શોને અલવિદા કહી દીધો છે. પરંતુ શોની મેમ્બર સુનૈના ફૌજદારે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
હાલમાં જ ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને લગતા એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. શોમાં રોશન ભાભી એટલે કે જેનિફર મિસ્ત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. ફોટામાં જેનિફર બેબી બમ્પ ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે. આ ફોટા જોઈને બધાં આશ્ચર્યચકિત છે. ચાહકો અભિનેત્રીને અભિનંદન આપી રહ્યાં છે, જ્યારે ઘણાં યુઝર્સે લખ્યું છે કે આ કારણે તમે એ સમયે શોથી બહાર થયા હતા.