ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે. ત્યારે થોડાં દિવસોથી પોપટલાલના લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી હતી, ત્યારે હવે શોમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. હમેશાં ડાયટ પર રહેનારા તારક મહેતા રસગુલ્લા ખાવાની ઈચ્છા થતાં તેમની ડાયટનું રૂટીન બ્રેક કરવાના છે. આ દરમિયાન એક રસગુલ્લા માટે તારક અને અંજલી વચ્ચે જબરદસ્ત તનાતની જોવા મળશે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, તારકને રસગુલ્લા ખાવા મળે છે કે નહીં.
તારક મહેતા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે
શોના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે
હવે એક રસગુલ્લા માટે તારક અને અંજલી વચ્ચે જબરદસ્ત તનાતની જોવા મળશે
હકીકતમાં અય્યર રસગુલ્લાનો ડબ્બો જેઠાલાલના ઘરે પહોંચાડી દે છે. તારક મહેતા જેઠાલાલના ઘરે પહેલાંથી જ હાજર હોય છે. તેમની આંખો રસગુલ્લાનો ડબ્બો જોઈને ચમકી ઉઠે છે. તેમને લાગે છે કે, અંજલીની ગેરહાજરીમાં રસગુલ્લા ખાવાની આ સોનેરી તક છે. પરંતુ આ દરમિયાન દુર્ભાગ્યથી જેઠાલાલ, ટપ્પૂ અને બાપુજી બધાં રસગુલ્લા ખાઈ લે છે અને તારક મહેતાના હાથે કંઈ લાગતું નથી.
પરંતુ રસગુલ્લા ખાવાની આશા હજી તારકમાં બચી છે, કારણ કે, બબીતાજી રસગુલ્લાનો એક ડબ્બો તેના ઘરે પણ મોકલાવે છે. પરંતુ સમસ્યા એ છે કે, તારક અને રસગુલ્લાની વચ્ચે તેમની પત્ની અંજલી આવી જાય છે. જ્યારે બીજી બાજુ તારકને રસગુલ્લા ખાવાની ઈચ્છા એટલી તીવ્ર થઈ જાય છે કે, તેઓ પત્ની અને ડાયટ સામે અવાજ ઉઠાવવા તૈયાર થઈ જાય છે.
હવે એ જોવાનું રહ્યું કે, તારક મહેતાની રસગુલ્લા ખાવાની ઈચ્છા કઈ રહી પૂરી થશે. શું અંજલી તારકને રસગુલ્લા ખાવા દેશે. આનો નિર્ણય હવે દર્શકોએ લેવાનો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો માટે એક પોલ લગાવશે, જેમાં દર્શકોનો અભિપ્રાય લેવામાં આવશે અને તેમના મત મુજબ નક્કી કરવામાં આવશે કે તારક મહેતાને રસગુલ્લા મળશે કે નહીં.
ત્યારે ગોકુલધામમાં પોપટલાલના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી અને સોસાયટીના તમામ લોકો બંનેનું સ્વાગત કરવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા.