તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોને ખૂબ મનોરંજન કરે છે. શો ને 28 જુલાઇએ 11 વર્ષ પૂરા થઇ જશે. થોડાક દિવસો અગાઉ માહિતી મળી હતી કે દયાબેનનું કિરદાર નિભાવનાર દિશા વકાણી હવે શો માં વાપસી કરશે નહીં, શો ના મેકર્સ દયાબેનને લાવવા ઊતાવળા નથી.
મળતી માહિતી અનુસાર દિશા જલ્દી શો માં એન્ટ્રી કરવાની છે. મેકર્સની સાથે એની વાતચીત થઇ ગઇ હતી. પરંતુ આ સમાચાર માત્ર અફવા સાબિત થયા. દિશા શો માં હવે નહીં આવે. દિશા બાદ શો માં દયાબેનનું કિરદાર કોન નિભાવશે? એને લઇને ચર્ચા જોર પર છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો માટે એક ખરાબ સમાચાર છે. ફેન્સે દયાબેન માટે હજુ વધારે રાહ જોવી પડશે. વાસ્તવમાં શો ના મેકર્સ દયાબેનને લાવવાની જલ્દીમાં નથી.
તાજી માહિતી અનુસાર શો ના મેકર્સ હાલ માટે દયાબેનના કિરદારને હોલ્ડ પર રાખ્યું છે. મેકર્સ દયાબેનના કાસ્ટ માટે કોઇ ઊતાવળમાં નથી. એ દયાબેન માટે એક્ટ્રેસ શોધી રહ્યા છે, જે દયાબેનનું કિરદાર પરફેક્શન સાથે નિભાવી શકે. ટીમના ફેમસ સ્ટાર્સ અને ફ્રેશ ફેસને ઓડિશન માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. મેકર્સ દયાબેન માટે પરફેક્ટ એક્ટ્રેસની શોધમાં છે. એટલા માટે ઊતાવળ કરવા માગતા નથી.
જણાવી દઇએ કે એવી માહિતી મળી હતી કે દયાબેનના રોલ માટે 'પાપડ પોલ' ફેમ એક્ટ્રેસ અમી ત્રિવેદીને અપ્રોચ કર્યો છે. પરંતુ જ્યારે આ માટે અમી ત્રિવેદીનો કોન્ટેક્ટ કર્યો તો એને દયાબેનની રોલ ઑફર હોવાની માહિતી ખોટી જણાવી હતી.