ટીવી સિરિયલનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’માં દિશા વાકાણી બદલાઇ જસે તે અંગેની અટકળો ઘણા લાંબાસમયથી ચાલી રહી છે. આ દમરિયાન એવા પણ સમાચાર આવ્યા હતા કે આ શોના મેકર્સઓએ નવા દયા બેનની શોધખોળ શરૂ કરી દીધી છે. આ શોમાંથી દયાબેન એટલે કે દિશા વાકાણી ઘણા સમયથી ગાયબ છે અને તે ક્યારેય પરત ફરશે તે અંગે કોઇ જાણકારી નથી. તો હવે તમને એવી કેટલીક એક્ટ્રેસ વિશે જણાવીશું જેઓ દયાબેનના રોલમાં સરળતાથી ફિટ થઇ જશે..
શિલ્પા શિંદે:
શિલ્પા શિંદે ઘણી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે તેણે ‘ભાભી ઘર પર હે’ નામના શોમાં અંગૂરી ભાભીનું જે પાત્ર ભજવ્યું હતું જે હિટ રહ્યુ હતુ. તે સરળતાથી દયાબેનનું કેરેક્ટર પ્લે કરી શકે છે.
સુમોના ચક્રવર્તી:
આ લિસ્ટમાં કપિલ શર્માના શોમાંથી ઘર-ઘરમાં લોકપ્રિય થયેલી સુમેના ચક્રવર્તીને પણ આ કેરેક્ટર માટે એકદમ ફિટ માનવામાં આવી રહ્યુ છે.
સુગંધા મિશ્રા:
ફેમસ કોમેડિયન સુગંધા મિશ્રાનુ નામ પણ મેકર્સની લિસ્ટમાં છે. સુગંધા મિશ્રા એક સારી મિમિક્રી આર્ટિસ્ટ છે, એવામાં દયાબેનના અવાજમાં બોલવુ તેના માટે સરળ છે.
ઉલ્લેખનીય છે કે, ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના મેકર્સ અસિત મોદીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ''દિશા હવે શોનો ભાગ નહી રહે, તેની જગ્યાએ નવા ચહેરાનો શોધ કરવામાં આવી રહી છે.'' એવામાં જોવાનું રહ્યુ કે ઉપરની કઇ એક્ટર્સેને શોના મેકર્સ દયાબેનના રોલ માટે ફાઇનલ કરે છે.