રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ મંગળવારે લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના નિર્માતાઓને ચેતવણી આપી છે. આ શોમાં બતાવવામાં આવેલા એક એપિસોડ સાથે સંબંધિત છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હિન્દી એ મુંબઈની કોમન લેંગ્વેજ છે.
તારક મહેતા શોના નિર્માતાને મનસેની ધમકી
શોના એક નિવેદનને લઇને આપવામાં આવી ધમકી
મહારાષ્ટ્ર નવનિર્માણ ફિલ્મ સ્ટાફના ચેરમેન અમેયા ખોપકરે જણાવ્યું હતું કે, શોના નિર્માતાઓ સારી રીતે જાણે છે કે મરાઠી મુંબઈની સૌથી વધુ બોલાતી ભાષા છે. આ પછી પણ, તેમણે આવો પ્રોપોગન્ડા પ્રસારિત કર્યો.
શોના મેકર્સને ગુજરાતી કીડા ગણાવતા અમેયાએ વધુ કહ્યું કે, કમ સે કમ શોમાં કામ કરી રહેલા મહારાષ્ટ્રીયન કલાકારોને શરમ આવવી જોઇએ. આ સાથે જ ખોપકરે તેમને પાઠ ભણાવવાની ધમકી આપી હતી.
શોમાં શું કહેવામાં આવ્યું ?
તમને જણાવી દઈએ કે, વીડિયોમાં શોના એક કેરેક્ટર કહે છે, 'આપણી ગોકુલધામ મુંબઇમાં છે અને મુંબઈની કોમન લેગ્વેજ હિન્દી છે. આ રીતે, આપણે હિન્દીમાં સુવિચાર લખીએ છીએ. જો આપણી સોસાયટી ચેન્નઈમાં હોત, તો આપણે તમિલમાં લખતા હોત.
मुंबईची 'आम भाषा' हिंदी नाही, मराठी आहे, हे ह्या सब टीव्हीवाल्यांना मान्य नसेल, तर महाराष्ट्र सैनिकांना त्यांच्या कानाखाली 'सुविचार' लिहावे लागतील! तेसुद्धा मराठीत!
'कानाखाली काढलेले मराठी सुविचार' ह्यांना बरोबर वाचता येतील!! @sabtvpic.twitter.com/tuydzv0kEW
ટ્વિટર પર મનસેના જનરલ સેક્રેટરી શાલિની ઠાકરેએ કહ્યું કે, જો સબ ટીવી સ્વીકારે નહીં કે મુંબઈની લોકલ ભાષા હિન્દી નહીં મરાઠી છે, તો મહારાષ્ટ્રના યોદ્ધાઓએ સુવિચાર તેમના કાનમાં લખવો પડશે. તે પણ મરાઠીમાં. '