તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં હાલ લોકડાઉન ફેઝ બતાવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે ગોકુલધામવાસીઓ ઘરમાં રહેવા મજબૂત બન્યા છે. આ કારણે તેઓ ફ્રસ્ટ્રેટ થઈ રહ્યાં છે. શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, કઈ રીતે ગોકુલધામવાસીઓ પરેશાન થઈ રહ્યાં છે અને બધાંના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું છે.
તારક મહેતા શો દર્શકોનો છે ફેવરિટ
હાલ શોમાં લોકડાઉન ફેઝ ચાલી રહ્યો છે
તો તારક મહેતા અંજલી પર ગુસ્સે થયા છે
જેઠાલાલ, તારક મહેતા, આત્મારામ ભિડે, રોશનસિંહ સોઢી, કોમલ, હાથીભાઈ બધાં ખૂબ પરેશાન છે. ધંધો બંધ થવાને કારણે જેઠાલાલને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. તે બાપુજી સામે પોતાની પરેશાની જણાવે છે. ત્યારે બાપુજી જેઠાલાલને સમજાવે છે પરંતુ તેનો કોઈ ફાયદો થતો નથી.
જેઠાલાલને પરેશાન જોઈ ચંપકલાલ ગોકુલધામવાસીઓને ફોન કરી બધાંના હાલચાલ પૂછે છે. તેઓ અંજલી મહેતાને ફોન કરે છે તો અંજલી જણાવે છે કે, આજકાલ તારક મહેતા ખૂબ જ ચિડચિડિયા થઈ ગયા છે અને ગુસ્સો કરી રહ્યાં છે.
બોસનો ગુસ્સો અંજલી પર ઉતાર્યો
હકીકતમાં તારક મહેતા લોકડાઉનને કારણે ઘરેથી કામ કરે છે અને તેના કારણે કામ પણ વધી ગયું છે. બોસ વારંવાર ફોન કરી કામ બતાવે છે. જેનાથી તારક પરેશાન થઈ જાય છે અને બધો ગુસ્સો અંજલી પર ઉતરે છે. અંજલી તારકનો મૂડ સારો કરવાની કોશિશ કરે છે અને કેન્ડલ લાઈટ ડિનર પ્લાન કરે છે પરંતુ તારક પર કંઈ અસર થતી નથી અને તે અંજલી પર ગુસ્સે થાય છે. અંજલીની વાતો સાંભળી ચંપકલાલ તેને સમજાવે છે કે, બધું સારું થઈ જશે. ત્યારે કોમલ ભાભી અને હાથી ભાઈ પણ ખૂબ જ પરેશાન છે. તેઓ ગોલીને કારણે દુખી છે.