ટેલિવિઝન જગતની સૌથી પોપ્યુલર કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ચાહક વર્ગ દરેક ઉંમરનો છે. છેલ્લા 12 વર્ષથી આ શો લોકોને ખડખડાટ હંસાવી રહ્યો છે. ત્યારે હવે ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે પોતાની માતૃભાષાને લઈને એવો વિવાદ સર્જાયો છે, તે બબીતાજી અને જેઠાલાલની વચ્ચે પણ તેની આગ લાગી ગઈ છે અને હવે બબીતાજીએ જેઠાલાલને કહી દીધું છે કે, હવે તે ક્યારે જેઠાલાલ સાથે વાત નહીં કરે.
તારક મહેતામાં શરૂ થયું ઘમાસાણ
માતૃભાષાને લઈ ગોકુલધામવાસીઓ આવ્યા સામસામે
બબીતાજી જેઠાલાલથી રિસાઈ ગઈ
આ રીતે બબીતાજીનું રિસાઈ જવું જેઠાલાલ માટે કોઈ મોટી સજા સમાન છે. હકીકતમાં ગોકુલધામ સોસાયટીના રહેવાસીઓમાં પોતાની માતૃભાષાને લઈને એક અલગ જ વિવાદ ચાલી રહ્યાં છે અને બધાંએ નક્કી કર્યું છે કે, હવે તેઓ પોત-પોતાની માતૃભાષામાં જ વાત કરશે.
આ બંધાની વચ્ચે જેઠા લાલ બબીતાજીને કંઈક કહે છે અને અય્યર એ વાતને બંગાળીમાં જુદા જ મતલબ સાથે બબીતાને કહે છે, જે સાંભળીને તે ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે.
આમાં અય્યર મોકાનો ફાયદો ઉઠાવે છે અને બબીતાજીને વધુ ઉશ્કેરે છે કે, જેઠાલાલે ગુજરાતીમાં બબીતાજીનું અપમાન કર્યું છે. આ બધી વાતો અય્યર અને બબીતાજી બંગાળીમાં કરતા હોવાથી જેઠાલાલને કંઈ સમજાતું નથી અને આ રીતે અલગ-અલગ ભાષાએ બધાંની વચ્ચે આગ લગાવી દીધી છે. પણ દર્શકો માટે તો આ બધાંમાં પણ મજા અને હસી જ છે. હવે આગળ જોવાનું એ રહેશે કે, બબીતાજી જેઠાલાલ સાથે ફરી વાત કરશે કે નહીં.