સૌથી પોપ્યુલર ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન બાદ એકવાર ફરી શરૂ થઈ ચૂક્યું છે. તારક મહેતા સીરિયલની કહાની ગોકુલધામવાસીઓ અને જેઠાલાલની આસપાસ ફરતી જોવા મળે છે. ત્યારે સીરિયલમાં રોજ નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે, જેનાથી દર્શકોને મજા પડી જાય છે. તારક મહેતાના અપકમિંગ એપિસોડ પણ ઘણાં જ મજેદાર થવાના છે.
લોકડાઉન બાદ શરૂ થયું તારક મહેતા
જેઠાલાલ બબીતાજી સાથે નીકળ્યા રિક્શામાં
પણ પછી એન્ડ ટાઈમ પર પ્લાન થયો કેન્સલ
હાલ ગોકુલધામ સોસાયટીની આસપાસના વિસ્તારમાં રમખાણો થઈ રહ્યાં છે અને પોલીસ ગોકુલધાન સોસાયટીમાં આવીને લોકોને ઘરે રહેવાની સલાહ આપી રહી છે. જેઠાલાલ સહિત તમામ લોકોએ આ વાત પર વિરોધ કર્યો છે કારણ કે બધાં માટે ઘરે રહેવું સંભવ નથી. ત્યારે બબીતા અય્યર સાથે સોસાયટી કમ્પાઉન્ડમાં ઊભી હોય છે, કારણ કે તેને તેની એક ફ્રેન્ડને મળવા જવાનું હોય છે, એવામાં જેઠાલાલ નીચે ઉતરે છે અને પરમ મિત્ર તારકનો ગુડ મોર્નિંગ ઈગ્નોર કરીને ભાગીને બબીતાજી પાસે જતો રહે છે, જેઠાલાલનું આ વર્તન તારકને ગમતું નથી.
જેઠાલાલ તારક મહેતાને કહે છે કે, તેણે તેનો અવાજ સાંભળ્યો નહીં, જેના કારણે આવું થયું. ત્યારે બીજી બાજુ બબીતાજી કહે છે કે તેની મિત્ર વિદેશથી ઘણાં વર્ષો પછી આવી છે જેથી જો એ તેને આજે મળવા નહીં જાય તો પોતાને માફ નહીં કરી શકે, કારણ કે તે ફરી વિદેશ જતી રહેવાની છે. અય્યરને ઓફિસ જવામાં લેટ થતું હોવાને કારણે તે બબીતાને ડ્રોપ નથી કરી શકતો. જેથી બબીતાજી જેઠાલાલ સાથે જવાનું કહે છે કારણ કે તેની મિત્રનું ઘર જેઠાલાલની દુકાનની પાસે જ હોય છે.
અય્યર રાજી થઈ જાય છે અને બબીતા જેઠાલાલ સાથે રિક્શામાં બેસી જાય છે. જોકે, દરમિયાન જ તેની મિત્રનો ફોન આવે છે અને તે એરપોર્ટ માટે નીકળી ગઈ હોવાનું બબીતાને જણાવે છે. આમ બબીતાનો પ્લાન કેન્સલ થઈ જાય છે અને બબીતાજી સાથે રિક્શામાં જવાનું જેઠાલાલનું સપનું પણ તૂટી જાય છે.