તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ત્યારે હવે દર્શકોને જેઠાલાલનું અલગ જ રૂપ જોવા મળશે. હમેશાં ખુશમિજાજમાં રહેતા જેઠાલાલે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઘણાં મહિના સુધી ચાલનારા લોકડાઉન પછી સરકારે દરેકને ઓફિસો જવાની મંજૂરી આપી દીધી છે.
તારક મહેતાના જેઠાલાલ વિફર્યા
કોરોનાના ચક્કરમાં જેઠાલાલે એક વ્યક્તિને માર્યો માર
પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ જવાનો મોકો મળતા જેઠાલાલ ખુશ થઈ ગયા છે. જેથી હવે તેઓ આવતીકાલે દુકાન ખોલી શકશે, એ ખુશી સાથે જેઠાલાલ સુઈ જાય છે અને ઉત્સાહ સાથે સુઈ જાય છે. પછી અડધી રાતે જેઠાલાલને અવાજ સંભળાય છે અને તે જાગી જાય છે.
ઊંઘમાં હોવાને કારણે જેઠાલાલને ધૂંધળા સ્વરૂપમાં કોઈ રાક્ષસ જેવો જીવ દેખાય છે. જે પોતે કોરોના વાયરસ હોવાનો દાવો કરે છે. તે જેઠાલાલને ડરાવવાની કોશિશ કરે છે અને સાથે જ તેને કહે છે કે, લોકડાઉન ભલે ખુલી ગયું હોય પણ તેમ છતાં તે લોકોને અને ખાસ કરીને ગડા પરિવારને પરેશાન કરશે.
આ સાંભળીને જેઠાલાલને ગુસ્સો આવી જાય છે અને તે કોરોના વાયરસનો ઉધડો લઈ લે છે. તેની અંદરનો કચ્છી માડુ જાગી જાય છે. જેઠાલાલે કોરોના વાયરસની ધમકીથી ના ડરીને, તરત જ પોતાના ઘરેથી જતા રહેવાનું કહે છે. જેઠાલાલ કોરોના વાયરસને કહે છે કે માણસને ગમે તેટલી તકલીફ થાય છે, પરંતુ તેના પરિવારને કોઈ નુકસાન થવા નહીં દે. આટલું કહીને જેઠાલાલ બાપુજીની લાકડી ઉઠાવે છે અને કોરોના વાયરસને મારવા લાગે છે.
જોકે, આ બધું હકીકત નથી, પણ જેઠાલાલનું સપનું છે. આ સપનું વાસ્વિકતામાં પરિવર્તિત થઈ શકે છે, જે બધાંને હંસવા પર મજબૂર કરી દેશે. જ્યાં કોરોના વાયરસ એ જેઠાલાલની કલ્પનાનો માત્ર એક અનુમાન છે, જે લાકડીથી જેઠાલાલ જે વ્યક્તિને મારી રહ્યો છે તે તે કાલ્પનિક નથી. તો જેઠાલાલે કોને મારી રહ્યો છે? હવે મુશ્કેલીમાં જેઠાલાલ ફસાવાનો છે? એ જાણવા માટે જોવું પડશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.