નાના પડદા પર ધમાકેદાર ટીઆરપી મેળવી રહેલાં ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હમેશાં કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. આ શોની સૌથી ખાસ વાત એ છે કે, આ શોના દરેક પાત્રની અલગ ફેન ફોલોઈંગ છે. જેમાં બબીતાજી અને જેઠાલાલનું પાત્ર ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે શોના આગામી એપિસોડમાં બબીતા, જેઠાલાલ અને અય્યરને લઈને મજેદાર એપિસોડ બતાવવામાં આવશે.
તારક મહેતા સૌથી લોકપ્રિય ટીવી શો છે
વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે આ શો
હવે બબીતાજીને કારણે અય્યર પર ભડક્યો જેઠાલાલ
હકીકતમાં તારક મહેતાના આગામી એપિસોડની ક્લિપ સામે આવી છે. જેમાં જેઠાલાલ, અય્યર પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. બન્યું એવું કે અય્યરે બબીતાને તેના ગામડે લઈ જવા માટે મનાવી લીધી હતી. જોકે, બબીતા આ અંગે રાજી નહોતી પણ અય્યર પોતાના ગામમાં સ્થાયી થવાનું મન બનાવી ચૂક્યો હતો. આ વાત જ્યારે જેઠાલાલએ સાંભળી તો તે અય્યર પર નારાજ થયો અને તેને સવાલ પૂછવા લાગ્યો કે કેમ તેણે ગામડે જઈને સ્થાયી થવાનું મન બનાવી લીધું છે.
Babita Ji ko lekar gaav mein kheti karne jaane ka hai Iyer ka iraada. Kya Jethalal samjha payega Iyer ko yaa phir unn dono ko rokne ke liye Jethalal ko prayaas karna hoga thoda aur bhi zyaada? Yeh janne ke liye aapko dekhna hoga #TaarakMehtaKaOoltahChashmah aaj raat 8:30 baje. pic.twitter.com/HFpWrrlonb
જેઠાલાલ બાલ્કનીમાંથી અય્યરને પૂછે છે કે શું તે બબીતાજી સાથે ગામડે સ્થાયી થવાનું વિચારી રહ્યો છે. જેઠાલાલ કહે છે કે શું તમને ખબર છે કે ગામડે કેટલું કામ કરવુ પડે છે. બબીતાજી ખેતરમાં તમારા માટે ખાવાનું લઈને આવશે તો તેમને કેટલી મુશ્કેલી થશે. તેમના પગમાં કાંટો વાગી શકે છે. આ સાંભળીને અય્યર કહે છે કે, એવું નહીં થાય કારણ કે બબીતા ચપ્પલ પહેરીને આવશે. તો જેઠાલાલ અને અય્યરની આ વાતો સાંભળીને નીચે ઉભેલા તારક મહેતા અને અંજલી ભાભી પણ હસવા લાગે છે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે બબીતાજી અને અય્યર ગામડે જતા રહે છે કે પછી જેઠાલાલની વાત સાંભળી રોકાય જાય છે.