તારક મહેતાનો શો એવો છે જેમાં દર્શકોને રોજ નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે. શોમાં હંગામા ક્યારેય ખતમ થતાં નથી. હાલમાં જ શોમાં ગોકુલધામવાસીઓ વચ્ચે માતૃભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને તેના કારણે જેઠાલાલની ઉંબાડિયું પાર્ટી પણ કેન્સલ થઈ હતી. પણ પછી ગોકુલધામ સોસાયટીના સૌથી મોટાં સભ્ય એટલે કે ચંપક ચાચાને વચ્ચે પડીને આ મામલો શાંત પાડ્યો હતો અને બધાંને સમજાવ્યા હતા. જોકે, એ બાદ એક નવી બબાલ ઊભી થઈ ગઈ છે. ચાલો જાણીએ.
તારક મહેતામાં આવ્યો નવો ટ્વિસ્ટ
શોમાં અય્યરે જેઠાલાલનું કર્યું અપમાન
એ પછી જેઠાલાલ કહી આવી વાત
અબ્દુલની સોડા શોપ પર સોડા પીવા પહોંચેલા જેઠા લાલ બધાં જ ગોકુલધામના પુરૂષો સામે કહે છે કે, આજકાલ ધંધામાં મંદી વધી ગઈ છે. જે પછી અય્યર કંઈક એવું કહી દે છે કે, એ બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે.
હકીકતમાં જેઠાલાલની મંદીની વાત સાંભળીને અય્યર તેને કહે છે કે, દુકાન અને ફ્લેટ વેચીને જેઠાલાલે ભચાઉ તેના ગામડે જતું રહેવું જોઈએ. આ વાત સાંભળીને જેઠાલાલને ગુસ્સો આવે છે અને તે અય્યરને કહે છે કે, એકદમ સાચું કહ્યું, પણ તારે પણ મારી સાથે આવવું પડશે. તો અય્યર પૂછે છે હું કેમ આવું. તો જેઠાલાલ જવાબ આપતાં કહે છે કે ત્યાં ખેતી માટે બળદની જરૂર હોય છે તો તારી જરૂર ત્યાં પડશે. આ સાંભળીને અય્યરના હોશ ઉડી ગયા અને તે ગુસ્સે ભરાયો. આ વાત પર બંને વચ્ચે સોડા શોપ પર બબાલ મચી જાય છે.
આ બબાલ શરૂ થઈ એ પહેલાં જ ચંપકલાલ બધાંને માતૃભાષાનું સન્માન કરવાની સલાહ આપે છે. જે બાદ ગોકુલધામમાં કેન્સલ થયેલી ઉંબાડિયું પાર્ટીનું આયોજન ફરી એકવાર થાય છે અને પછી તમામ ગોકુલધામવાસીઓ એકસાથે ભેંગા મળીને ઉંબાડિયું પાર્ટી એન્જોય કરે છે.
વર્ષ 2008થી ચાલતું તારક મહેતાં બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે. આ પારિવારિક કોમેડીને દરેક વર્ગના લોકો જોવાનું પસંદ કરે છે. આ શો ગુજરાતી લેખક તારક મહેતા દ્વારા લખાયેલી પુસ્તક પર આધારિત છે.