'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દિશા વાકાણીની પરત આવવાની સાથે જ ફેન્સમાં એક્સાઇટમેન્ટ વધી ગયુ છે, પરંતુ દિશા શોમાં એન્ટ્રી કેવી રીતે કરશે તે અંગે હજુ તો સસપેન્સ જ છે.
દિશા વાકાણી શો પર જલ્દીથી કમબેક કરશે, કામ કરવા પર સહમતિ આપી દીધી છે
દિશા વાકાણી અને નિર્માતા અસિત મોદીની વચ્ચે જૂના તમામ વિવાદ ઉકેલાઇ ગયા છે
શોમાં કેવી રીતે એન્ટ્રી કરશે દયાબેન?
એક ઑનલાઇન વેબસાઇટ અનુસાર, ''દિશા વાકાણી જલ્દીથી શોની શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે. દિશાની એન્ટ્રી ગ્રાન્ડ રીતે કરવામાં આવશે, નવરાત્રિ ફંક્શનની વચ્ચે શોમાં એન્ટ્રી લેશે. વાસ્તવમાં ગોકુલધામ સોસાયટીના સભ્યો નવરાત્રિમાં ગરબાના દરમિયાન દયાબેનને મિસ કરી રહી છે. સૌથી વધારે દયાબેનના પતિ જેઠાલાલને યાદ આવશે, ત્યારે દયાની યાદમાં જેઠાલાલ પ્રતિજ્ઞા લેશે કે જ્યાં સુધી દયા નહીં આવે અને તેની સાથે ગરબા ના રમે ત્યાં સુધી તે નવરાત્રિમાં ગરબા રમશે નહી. ત્યારે ગોકુલધામ સોસયટીના લોકો દયાને પરત લાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ નિષ્ફળ જશે. જોકે આ પછી દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી થશે. શોના મેકર્સ દયાની એન્ટ્રીને ખાસ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે.''
થોડા દિવસ પહેલા જ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''અમે સકારાત્મક છીએ કે દિશા વાકાણી પાછા આવાના છે, તેને આવવામાં એક મહિનાનો સમય લાગી શકે છે. અમે તેને વારંવાર આવવા માટે કહેતા હતા પરંતુ તેની દિકરી નાની હોવાથી તે આવવા માટે તૈયાર નહોતી. પરંતુ હવે લાગે છે કે તે આવવા માટે રાજી થઇ ગઇ છે.''
શું હતો મામલો?
દિશા વાકાણીએ 2017માં પુત્રીને જન્મ આપ્યો હતો. જે પહેલા તે મેટરનિટી લીવ પર જતી રહી હતી. જે બાદ તે શોમાં પાછા આવવા માટે કોન્ટ્રાક્ટમાં કેટલી શરતો ઉમેરવા માંગતી હતી. જો કે તેની માંગ સ્વીકારવા માટે આસિત મોદી તૈયાર નહોતા થયા.