'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah) એક્ટર ટપ્પૂ એટલે કે રાજ અનાદકત ટૂંક સમયમાં જ શો છોડી શકે છે. જાણો શું છે તેનું કારણ
તારક મેહતા શો છોડી શકે છે ટપ્પૂ?
જાણો શું છે શો છોડવા પાછળનું કારણ
જાણો શું કહ્યું પ્રોડ્યુસરે
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ના (Taarak Mehta Ka Ooltah Chashmah) સેટથી એક ખૂબ જ ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. ટૂંક સમયમાં જ શોમાં ટપ્પુની ભૂમિકા નિભાવિ રહેલા રાજ અનાદકત શોમાંથી વિદાય લઈ શકે છે. જી હાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ઘણી રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં જ રાજ અનાદકત શોને છોડી શકે છે અને હવે લોકો તેના પાછળનું કારણ મુનમુન દત્તાને ગણાવી રહ્યા છે.
શો છોડી શકે છે ટપ્પૂ
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) પાછલાં 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે. શોમાં એવા ઘણા કલાકારો છે. જે વર્ષોથી આ શોનો ભાગ છે. એક કારણ એ પણ છે કે આ શોએ પોતાની સ્ટાર કાસ્ટને દુનિયાભરમાં ફેમસ કરી છે. શોમાં ટપ્પૂનું પાત્ર નિભાવી રહેલા રાજ અનાદકતને (Raj Anadkat) લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે. ખબર અનુસાર જલ્દી જ સિટકોમને અલવિદા કહી શકે છે. આ મામલા પર શોના નિર્માતા અસિત કુમાર મોદીનું ( Asit Kumarr Modi) પણ નિવેદન સામે આવ્યું છે.
2017માં થઈ હતી એન્ટ્રી
રાજ અનાદકત એટલે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ટપ્પૂએ શોને છોડવાનું મન બનાવી લીધુ છે. વર્ષ 2017થી રાજ શોનો ભાગ બન્યા હતા. આ પહેલા ભવ્યા ગાંધીએ (Bhavya Gandhi) ટપ્પૂની ભુમિકા નિભાવી હતી. હવે રિપોર્ટ સામે આવી રહ્યો છે કે ટપ્પૂ ટૂંક સમયમાં જ શોને ક્વિટ કરી શકે છે.
ટીમની સાથે થઈ ખટપટ?
રિપોર્ટમાં એક નજીકના સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે રાજની સફર શોમાં ખટપટ ભટેલી રહી હતી. ઘણી વખત એવું થયું છે ટિમે તેમની સાથે તાલમેલનો પ્રયત્ન કર્યો પરંતુ અમુક વસ્તુઓ કામ ન કરી. અને તે લાંબા સમય સુધી ટકી રહેવા માટે તૈયાર નથી અને ન કાસ્ટ અને ક્રૂ તેમને રોકવા માટે તૈયાર છે.
શું કહ્યું અસિત મોદીએ?
જોકે આ મામલા પર હજુ સુધી રાજ અનાદકતનું કોઈ નિવેદન નથી આવ્યું. જોકે આ મામલા પર શોના પ્રોડ્યુસર સાથે વાત કરવા પર આસિત કુમાર મોદીનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમણે જવાબ આપતા કહ્યું કે તેમને રાજના શોને છોડવાને લઈને કોઈ અપડેટ નથી મળી. તેમણે જણાવ્યું કે 'મને તેના વિશે કોઈ જાણકારી નથી.'