તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રીને લઇને ચર્ચા ગરમ છે. શો ના મેકર અસિત કુમાર મોદીએ દિશા વકાણીની એન્ટ્રીને કમ્ફર્મ કરી હતી. હવે દિશાના પતિ મયૂર પંડ્યાએ દિશાની શો માં એન્ટ્રીને લઇને પોતાનું નિવેદન આપ્યું છે.
એક મીડિયા સાથે વાતચીત કરતાં દિશાના પતિ મયૂરે જણાવ્યું છે કે, 'એને એપિસોડ માટે એક પોર્શન શૂટ કર્યો છે, પરંતુ મેકર્સની સાથે અમારી વાતચીતનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તો હાલ દિશા સમગ્ર રીતે શો માં આવી રહી નથી. મને આશા છે કે અમે કોઇ સમાધાન પર પહોંચીશું.'
તો બીજી બાજુ દિશા વકાણીના નાના પાર્ટમાં આવવાથી અસિત મોદી ખૂબ ખુશ છે. એમને આશા છે કે દિશા જલ્દીથી શો જોઇન કરશે. અસિતનું કહેવું છે કે અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે. અમે જલ્દીથી કોઇ નિષ્કર્ષ પર પહોંચીશું, અમે છેલ્લા કેટલાક સમયથી દિશા સાથે વાત કરી રહ્યા છીએ. જેવું મે પહેલા પણ કહ્યું હતું કે કોઇ પણ શો થી મોટું નથી. જણાવી દઇએ કે થોડાક દિવસો અગાઉ દિશા વકાણી શો માં વાપસી કરી રહી છે એવા સમાચાર મળ્યા હતા. એવા સમાચાર હતા કે દિશા નવરાત્રીમાં શો માં એન્ટ્રી લેશે. પરંતુ દિશાના પતિ મયૂરના નિવેદન બાદ હવે શો માં એની એન્ટ્રી પર શંકા યથાવત છે.
2 વર્ષથી મેટરનિટી લીવ પર છે દિશા
2 વર્ષ પહેલા દિશાએ મેટરનીટિ લીવ લીધી હતી. ત્યારબાદ એ પોતાની પુત્રી સાથે પાલનપોષણમાં વ્યસ્ત હતી. મળતી માહિતી અનુસાર દિશાનો પતિ ઇચ્છતો નહતો કે એ પુત્રીને છોડીને કામ કરે. વર્ષ 2017થી આ શો થી દૂર છે. વાપસી માટે દિશાએ ફી વધારાની સાથે માત્ર 15 દિવસ કામ કરશે એવી શરત મૂકી હતી.