શોમાં જેઠાલાલે ધમકી આપી છે કે જો 2 મહિનાની અંદર દયા ગોકુલધામ નહીં આવે તો તે અન્ન-જળનો ત્યાગ કરશે.
તારક મહેતામાં પરત ફરશે દિશા વાકાણી?
જેઠાલાલ શોમાં આપશે અન્ન જળ ત્યાગ કરવાની ધમકી
હવે નવી દયાભાભીની એન્ટ્રી પાક્કી છે?
પાછલા 14 વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો લોકોનું મનોરંજન કરી રહ્યો છે. અને 2017થી ફેન્સનું ફેવરેટ પાત્ર 'દયાભાભી' શોમાંથી ગાયબ છે. હકીકતે દયાભાભીનો રોલ કરી રહેલી અભિનેત્રી દિશા વાકાણી શોમાંથી 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી ત્યાર બાદ હજુ સુધી પાછી નથી ફરી. વચ્ચે એવી ખબર આવી હતી કે દયાબેન તરીકે દિશા વાપસી કરશે પરંતુ તમણે મેકર્સ પાસે કેટલીક શરતો મુકી છે.
ફેન્સ જોઈ રહ્યા આતુરતાથી રાહ
આ બધી અટકળો વચ્ચે થોડા દિવસો અગાઉ જ દિશા વાકાણીએ દિકરાને જન્મ આપ્યો છે. જ્યાર બાદથી મીડિયામાં અહેવાલો ફરતા થયા કે હવે દિશા વાકાણી શોમાં પરત નહીં જ ફરે. હવે શોમાં દયાભાભીને પરત લાવવાને લઈને પ્રોમો ચાલી રહ્યા છે. આ વચ્ચે પ્રોડ્યુસર આસિત મોદીએ ચોખવટ કરી હતી કે હવે દિશા વાકાણી શોમાં પરત નહીં ફરે. તો શું દયાબેનના પાત્રમાં કોઈ અન્ય એક્ટ્રેસ જોવા મળશે? આ બધી અટકળો વચ્ચે ફેન્સ એ જાણવા માટે ઉત્સુક છે કે નવાં દયાભાભી ક્યારે આવશે?
શોમાં તરત ફરશે દયાભાભી?
હાલ સિરિયલમાં જેઠાલાલ પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સના ઉદ્ધાટન માટે દયા હાજર રહે તેવી જીદ લઈને બેઠા છે અને સુંદર પણ કહે છે કે બહેના મુંબઈ પાછી આવવાની છે અને તેમની આ વાતચીવ વખતે શોમાં કોઈ એક મહિલા ગોકુલધામ તરફ ચાલતી બતાવવામાં આવી રહી છે. ફેન્સને આ જોઈને લાગ્યું કે 5 વર્ષ બાદ પણ તેમની આતુરતાનો અંત આવશે. પરંતુ તેવું ન બન્યું.
સુંદર લઈને આવ્યો દયાબેનનું કટઆઉટ
જેઠાલાલના આગ્રહ બાદ સુંદરે વચન આપ્યુ હતું કે તે દયાબેનને ગોકુલ ધામ લઈ આવશે પરંતુ તે દયાબેનનું કટઆઉટ લઈને આવતા જેઠાલાલના ગુસ્સાનો પાર ન રહ્યો.
જેઠાલાલે આપી ધમકી
સુંદરની આ હરકતથી લાલચોળ થયેલા જેઠાલાલે ધમકી આપતા જણાવ્યું કે જો 2 મહિનાની અંદર દયા ગોકુલધામ નહીં આવે તો તે અન્ન-જળનો ત્યાગ કરશે. હવે જેઠાલાલની આ ધમકી બાદ શોમાં નવા દયાભાભી આવે છે કે દિશા વાકાણી જ તરત ફરે છે તે જોવું રહ્યું.