'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ છેલ્લાં 12 વર્ષથી ટીવી પર રાજ કરી રહી છે. આ સિરિયલે હાલમાં જ 3000 એપિસોડ પૂરા કર્યા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. આ શોના દરેક કેરેક્ટર લાજવાબ છે. શોની પૂરી સ્ટારકાસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ છે. જેથી તેમને જોઈને દર્શકોને એવું લાગે છે કે તેઓ રિયલ લાઈફમાં પણ સાથે જ છે. ત્યારે આ શોના સૌથી લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણી છે. જોકે, દિશા પોતાના બાળકના જન્મ બાદથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ દિશા પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. દિશા અવાર નવાર તેના ફોટોઝ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. દિશાએ તારક મહેતા છોડ્યાને 2 વર્ષ થઈ ચૂક્યા છે.
ટીવી જગતની સૌથી લોકપ્રિય સીરિયલ છે તારક મહેતા
આ શોના સૌથી લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાકાણી છે
દિશાએ તારક મહેતા છોડ્યાને 2 વર્ષ થઈ ચૂક્યા છે
દિશા વાકાણીએ વર્ષ 2015માં મુંબઇમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. તમને જણાવી દઈએ કે, કોઈ કામને કારણે દિશા વાકાણી અને મયુર પંડ્યા પહેલીવાર મળ્યા હતા અને પહેલી જ મીટિંગમાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. તેના પતિ મયુરને ખબર હતી કે દિશા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ મોટી અભિનેત્રી છે. બંને વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ થઈ ગઈ અને પઠી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. આ રીતે બંનેને પહેલી નજરમાં એટલે કે લવ એટ ફર્સ્ટ સાઈટ થયો.તમને જણાવી દઈએ કે, બંનેએ તેમના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યું હતું. બંનેના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.
તમને જણાવી દઈએ કે, દિશાના લગ્નનું રિસેપ્શન 26 નવેમ્બર 2015એ મુંબઇના જુહુ સ્થિત પ્રોગ્રામ સન એન્ડ સેન્ડ હોટલમાં યોજાયો હતો. તે પછી દિશા વાકાણીએ વર્ષ 2017માં તેના બાળકને જન્મ આપ્યો. દિશા વાકાણી મેટરનિટી લીવ પર હતી.
છેલ્લા કેટલાંય સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રી થશે કે નહિં તે અંગે અટકળો ચાલી રહી છે. ઘડીકમાં એવી વાત આવે છે કે દિશા વાકાણી ટૂંક જ સમયમાં શૂટિંગ ચાલુ કરશે તો ઘણીવાર એવા રિપોર્ટ આવે છે કે તેણે શોમાંથી કાયમ માટે એક્ઝિટ લઈ લીધી છે. દિશા વાકાણીના ચાહકો ઘણાં સમયથી તેની વાપસીની રાહ જોઇ રહ્યાં છે.