વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરુ પાડતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને તેમાં પણ જેઠાલાલનો પરિવાર સૌથી વધારે મનોરંજન પુરુ પાડે છે.
ચંપકલાલ ચેઇન સ્મોકર?
તારક મહેતાના પુસ્તકમાં અલગ વાર્તા
તારક મહેતા...માં આવશે ટ્વિસ્ટ
જ્યારે શો શરૂ થવાનો હતો ત્યારે એક બાદ એક ઓડીશન લેવાયા અને પાત્રો અપાયા પરંતુ કેટલીક વાતો એવી છે જે શો શરૂ થયાના આટલા વર્ષો પછી સામે આવી છે.
દિલીપ જોશીને ઓફર થયો હતો અન્ય રોલ
જેઠાલાલને કોઇ ઓળખાણની જરૂર નથી પરંતુ તમને ખબર છે કે દિલીપ જોશીને અસિત મોદીએ ચંપકલાલ ગડાના રોલની ઓફર કરી હતી. બાદમાં દિલીપ જોશીએ જેઠાલાલનો રોલ સ્વીકાર્યો હતો.
ચંપક લાલ ચેઇન સ્મોકર ?
તારક મહેતા...ના પુસ્તક દુનિયાને ઉંધા ચશ્મા પરથી બનેલા આ શોમાં થોડુ કન્ટેન્ટ ફેરબદલ કરવામાં આવ્યું છે. જેમકે તેમના પુસ્તકમાં ચંપકલાલને ચેઇન સ્મોકર બતાવવામાં આવ્યા છે. જે બીડીના બંધાણી છે પરંતુ શોમાં ચંપકલાલને કોઇ વ્યસન નથી તેવું બતાવવામાં આવ્યું છે. નેશનલ ટીવી પર જ્યારે શો આવવાની શરૂઆત થઇ ત્યારે જ આ બદલાવ થઇ ગયો હતો કે બાપૂજીને ચેઇન સ્મોકર નહી બતાવવામાં આવે.
દયાની એક્ઝિટ
2017થી ફેન્સ દયાબેન પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે પરંતુ તેમને 2021 સુધી નિરાશા જ સાંપડી છે. દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીની વાતો ઘણી વાર થઇ છે પરંતુ ચોક્કસ સમય કે તારીખ આપવામાં આવી નથી કે દયા બેન પરત ફરશે જ. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે દયાએ શોમાંથી ક્વિટ કરી લીધુ છે ત્યારે તેના ફેન્સ નિરાશ થયા હતા.
એક સમાચાર એજન્સી સાથે ખાસ વાતચીતમાં અસિત મોદીએ કહ્યું કે, મારો શોને 13 વર્ષ થઈ ગયા છે. મારું સપનું હતું કે આ શો બાળકો માટે એનિમેશનના રૂપમાં લાવીએ. હું મારા શોનું એનિમેટેડ વર્ઝન લાવવા માટે ઘણાં લાંબા સમયથી વિચારી રહ્યો છું, ખાસ કરીને બાળકો માટે. આ સપનું અમારી સોની યે ચેનલના એસોસિએશનની સાથે પૂર્ણ થયું.
ઓરિજિનલ શોમાં ભલે નહીં, પરંતુ તારક મહેતા કા છોટા ચશ્મામાં તમને દયાબેન ચોક્કસથી જોવા મળશે. આ અંગે અસિત મોદી કહે છે, હા અહીં દયાબેન છે અને એનિમેટેડ વર્ઝનમાં મને કોઈ ટેન્શન નથી કે કોઈ કલાકાર શો છોડી દેશે. કારણ કે દરેક એનિમેટેડ છે, તો પછી જેઓ દયા ભાભીને મિસ કરતા હતા તેઓ આ એનિમેટેડ વર્ઝનમાં દયા ભાભીને જોઈ શકાશે. તેમાં એક નાની ટપ્પુસેના પણ હશે.