ટેલિવિઝન જગતના સૌથી પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 12 વર્ષથી દર્શકોને હસાવી રહ્યું છે. ત્યારે છેલ્લા થોડાં સમયથી આ શોના સેટ પરથી કેટલાક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. હાલમાં જ 12 વર્ષથી શો સાથે જોડાયેલા નેહા મહેતાએ શોને અલવિદા કહી દીધું, તો હવે એવા સમાચાર છે કે, શોમાં સોઢીનો રોલ પ્લેન કરનાર ગુરૂચરણ સિંહને પણ રિપ્લેસ કરવામાં આવી રહ્યો છે. તેની જગ્યાએ હવે બલવિંદર સિંહ સુરી આ રોલ પ્લે કરશે.
તારક મહેતા શોમાંથી આવ્ય ખરાબ સમાચાર
નેહા મહેતા બાદ હવે આ પાત્રએ શોને કહ્યું અલવિદા
આ બલવિન્દર સિંહ સોઢીનો રોલ પ્લે કરશે
શુક્રવારે જ આ સમાચાર કન્ફર્મ થયા કે નેહા મહેતા હવે અંજલી ભાભીનો રોલ પ્લે નહીં કરે, તો હવે ગુરૂચરણ સિંહને રિપ્લેસ કર્યાના સમાચાર આવતા દર્શકોને ઝટકો લાગ્યો છે. ગુરૂચરણના પિતાની હાલમાં જ સર્જરી થઈ છે. જોકે, હવે કહાનીની ડિમાન્ડને જોતા મેકર્સ ઈચ્છે છે કે, તે શો જોઈન કરી લે, પરંતુ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ગુરૂચરણ શોને અલવિદા કરવાનો નિર્ણય લીધો છે.
બલવિંદર સિંહે શરૂ કર્યું શૂટિંગ
સ્પોટબોયની રિપોર્ટ મુજબ, શોથી જોડાયેલા નજીકના સૂત્રએ જણાવ્યું કે, બલવિંદરે શૂટિંગ શરૂ કરી દીધું છે. મેકર્સ ગુરૂચરણની રાહ જોઈ રહ્યાં હતા પરંતુ પિતાની તબિયત ખરાબ હોવાને કારણે ગુરૂચરણે શોમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આગળના એપિસોડ્સમાં બલવિંદર સિંહ સોઢીના રોલમાં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, બલવિંદર દિલ તો પાગલ હૈ ફિલ્મમાં શાહરૂખના મિત્રનો રોલ પ્લે કરી ચૂક્યો છે. આ સિવાય તેણે સાજન ચલે સસુરાલ અને ધમાલ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુરૂચરણ 2013માં જ શો છોડવાનો હતો. ત્યારે શોના મેકર્સ સાથે તેની સાથે ક્રિએટિવ ડિફરન્સિસને લઈને નારાજગી સામે આવી હતી. જોકે, થોડાં દિવસ બાદ તે ફરી શોમાં આવી ગયો હતો. તો હવે લોકડાઉન બાદ શરૂ થયેલા શોમાં ફેન્સને સતત ઝટકા મળી રહ્યો છે.