તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો કોઈને કોઈ કારણથી હમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં જ જેઠાલાલ અને ટપ્પૂ વચ્ચે તિરાડ પડી હોવાના સમાચાર સામે આવ્યા હતા, જે અંગે હવે ટપ્પૂ એટલે કે રાજ અનાદકટે મૌન તોડ્યું છે.
તારક મહેતા શો લોકોના દિલ પર રાઝ કરે છે
હાલમાં બબીતાજીને લઈને સર્જાયો હતો વિવાદ
હવે ટપ્પૂ અને જેઠાલાલ વચ્ચે બબાલ થઈ હોવાની ચર્ચા
તમને જણાવી દઈએ કે, જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેમના ઓનસ્ક્રીન દિકરા ટપ્પૂ એટલે કે રાજ વચ્ચે કંઈ ખટપટ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. એવામાં કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે બધું બરાબર નથી. બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો વચ્ચે રાજ એટલે કે ટપ્પૂએ મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે.
તારક મહેતાના જેઠાલાલ અને તેમના ઓનસ્ક્રીન દિકરા ટપ્પૂને લઈને થોડાં દિવસથી એવા સમાચાર સામે આવ્યા હતા કે બંને એકબીજાને બિલ્કુલ પસંદ નથી કરતા. દિલીપ જોશી તેમના ઓનસ્ક્રીન દિકરા રાજની કેટલીક હરકતોને કારણે ઘણાં નારાજ હતા. ત્યારે આ મામલે હવે રાજે મૌન તોડ્યું છે અને જડબાતોડ જવાબ આપ્યો છે. ટપ્પૂએ સ્પોટબોય સાથેની વાતચીતમાં આ તમામ અટકળોને બકવાસ ગણાવી છે. રાજે કહ્યું કે હું આવી અફવાઓ પર ધ્યાન આપતો નથી. હું આવી અફવાઓ હસું છું. તેણે કહ્યું કે અમારી વચ્ચે બધું બરાબર છે, મને સમજાતું નથી કે આવી અફવાઓ કેવી રીતે ફેલાય છે.
રાજે વધુમાં કહ્યું કે હું ફક્ત એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરું છું કે હું મારા કામમાં શ્રેષ્ઠ કરી શકું જેથી દર્શકોને મારું કામ ગમે. લોકો અફવાઓ ફેલાવે છે. હું આ તરફ ધ્યાન આપતો નથી.તમને જણાવી દઈએ કે અગાઉ જેઠાલાલ અને તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા વચ્ચે અણબનાવના અહેવાલો પણ આવ્યા હતા, જેના પર બંનેએ સ્પષ્ટતા કરી હતી. બંનેએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. શૈલેષ લોઢાએ આ અહેવાલોને ખોટી ગણાવ્યા હતા. તેંણે કહ્યું હતું કે શોની જેમ જ તેની અને દિલીપ વચ્ચે વાસ્તવિક જીવનમાં પણ સારી મિત્રતા છે. બંને વચ્ચે કોઈ સમસ્યા નથી. આ સાથે જ દિલીપ જોશીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આવા સમાચાર કોણ ફેલાવે છે.