'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટેલિવિઝન પર સૌથી લાંબા સમયથી ચાલનારા શોમાંથી એક છે. આ શોમાં ગોકુલધામ સોસાયટી અને ત્યાંના રહેવાસીઓની તકલીફો અને પરેશાનીઓને કોમેડી સાથે દર્શાવવામાં આવી છે. તમને આ શોમાં ઘણું બધું જોવા અને શીખવા મળશે. આપણે બધાએ ગોકુલધામ સોસાયટીના લોકોને વર્ષોથી સાથે હળીમળીને રહેતા જોયા છે.
તારક મહેતામાં ભીડેએ બનાવી ખિચડી
સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
પરંતુ માત્ર સીરિયલમાં જ તેઓ સંપીને રહે છે એવું નથી, રિયલ લાઈફમાં પણ તેઓ એકબીજા સાથે સંપીને રહે છે. હાલમાં જ શોમાં ભીડેનો રોલ પ્લે કરી રહેલાં એક્ટર મંદાર ચાંદવકરે ડિરેક્ટર માલવ રાજડા સાથે મળીને શોના સેટ પર બધાં માટે મસાલા ખિચડી બનાવી હતી. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
ફોટો શેર કરીને મંદારે લખ્યું છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર અમે મસાલા ખીચડી બનાવી'.
તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ગોકુલધામ સોસાયટી અને તેમાં રહેનાર લોકોના જીવન પર આધારિત બાબતો દર્શાવવામાં આવે છે. તારક મહેતામાં ભીડેની સાથે જેઠાલાલ, દયાબેન, બબિતા જી, બાપુજી અને ટપ્પૂ સેના પણ દર્શકોમાં લોકપ્રિય છે.