આંતરરાષ્ટ્રી દબાણના કારણે તાલિબાને પીછેહઠ કરી છે. તાલિબાને અફઘાનિસ્તાનમાં પખ્તિયા પ્રાંતમાં ગુરુદ્વારાથી નિશાન સાહિબ હટાવી લીધું હતું. જેને લઇ ભારતે સખત વિરોધ કર્યો હતો. અને ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તાલિબાને નિશાન સાહિબને પરત રાખી દીધું છે.
ગુરુદ્વારા પરથી હટાવ્યો હતો ધાર્મિક ધ્વજ
સમગ્ર મામલા વિશે જણાવીએ તો અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત બોલાવી લીધા બાદ તાલિબાન અફઘાનિસ્તાન પર કબ્જો જમાવવા માટે સતત હુમલાઓ કરી રહ્યું છે. ત્યારે તાલિબાની આતંકીઓએ પખ્તિયા પ્રાંતમાં પવિત્ર ગુરુદ્વારા થાલ સાહેબની છત પર લાગેલો ધાર્મિક ઝંડો તેમજ નિશાન સાહેબ હટાવી દીધુ હતું.
ભારતના દબાણ બાદ ફરી લહેરાવ્યો શીખ ધર્મનો ધ્વજ
તાલિબાન આ ક્ષેત્ર પર કબ્જો જમાવવા માટે તબાહી મચાવી રહ્યુ છે. શીખો માટે આ ગુરુદ્વારા બહુ મહત્વ ધરાવે છે. આ ઐતિહાસિક સ્થળે શ્રી ગુરુ નાનક દેવ પણ આવી ચૂક્યા છે. પખ્તિયા પ્રાંતનો વિસ્તાર 1980ના દાયકાથી તાલિબાનનો ગઢ મનાય છે. અને ગયા વર્ષે ગુરૂદ્વારા સેવા કરવા માટે પહોંચેલા નિદાન સિંહ સચદેવનુ અપહરણ કરાયુ હતુ. જોકે તેમને પાછળથી છોડી દેવામાં આવ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
તાલિબાને અફઘાનિસ્તાનમાં થાલા સાહિબ ગુરુદ્વારથી નિશાન સાહિબને હટાવી દીધું હતું
પખ્તિયા પ્રાંતમાં ગુરુદ્વારાથી નિશાન સાહિબ હટાવી લીધું હતું
નિશાન સાહિબ હટાવી લેતા ભારતે સખત વિરોધ કર્યો હતો
ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તાલિબાને નિશાન સાહિબ પરત રાખ્યું
તાલિબાન આ ક્ષેત્ર પર કબ્જો જમાવવા માટે તબાહી મચાવી રહ્યુ છે
શીખો માટે થાલા સાહિબ ગુરુદ્વારા ખુબ મહત્વ ધરાવે છે
થાલા સાહિબ ગુરુદ્વારાએ શ્રી ગુરુ નાનક દેવ પણ આવી ચૂક્યા છે
પખ્તિયા પ્રાંતનો વિસ્તાર 1980ના દાયકાથી તાલિબાનનો ગઢ મનાય છે
ગત વર્ષે ગુરુદ્વારામાં નિદાન સિંહ સચદેવનુ અપહરણ કરાયુ હતું
નિદાન સિંહ સચદેવ ગુરુદ્વારામાં સેવા આપવા ગયા હતા