ટી20 વર્લ્ડકપ 2022માં ભારતનું મોટું નુક્સાન થયું છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થયેલ સેમીફાઇનલમાં ભારતે સરેન્ડર કર્યું છે અને ઇંગ્લેન્ડે એકપણ વિકટનાં નુક્સાન વિના જીત હાંસિલ કરી છે.
ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનું સરેન્ડર
સેમીફાઇનલમાં હારી ટીમ ઇન્ડિયા
હાર્દિક અને વિરાટનાં પર્ફોર્મન્સે રાખી ભારતની લાજ
ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં પહેલા બેટિંગ કરીને 168 જેટલો સ્કોર બનાવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડનાં ધમાકેદાર બેટ્સમેનોએ વગર કોઇ વિકેટનાં નુક્સાન પર વિજય મેળવ્યો છે. માત્ર 16 ઓવરમાં જીત હાંસિલ કરી ટીમ ઇંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન મેળવી લીધેલ છે. ઇંગ્લેન્ડની આ જીતથી ભારતને ભારે નુક્સાન થયું છે અને ફેન્સ નિરાશ થયાં છે. ભારતની આ શરમજનક હારને લીધે વર્લ્ડકપ ભારતનાં હાથમાંથી બહાર નિકળી ગયું છે.
ઇંગ્લેન્ડનું ધમાકેદાર પર્ફોર્મન્સ
વગર કોઇ વિકેટનાં નુક્સાને ઇંગ્લેન્ડની ટીમે ભારતને માત આપી છે. ટીમ ઇન્ડિયાનાં આ સેમીફાઇનલમાં નબળાં પર્ફોર્મન્સને લીધે ઇંગ્લેન્ડ બાજી મારી ગયું. જેમાં એલેક્સ હેલ્સ અને જોસ બટલરે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. ઇંગ્લેન્ડનાં એલેક્સ હેલ્સે 47 બોલમાં 86 રન બનાવ્યાં જ્યારે કેપ્ટન જોસ બટલરે 49 બોલમાં 80 રનોનો સ્કોર બનાવી વિજય મેળવ્યો છે. ઇંગ્લેન્ડે 169 રનોનાં ટારગેટને માત્ર 16 ઓવરમાં હાંસિલ કર્યો છે.
ટીમ ઇન્ડિયાની વિરાટ અને હાર્દિકે બચાવી લાજ
હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે ઇંગ્લેન્ડની સામે ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યારે ટીમ ઇન્ડિયા ખતરામાં હતી ત્યારે હાર્દિકે 33 બોલમાં 63 રનો બનાવી અને ભારતની લાજ રાખી છે. 4 ચોગ્ગા અને 6 છગ્ગા મારીને હાર્દિકે ભારતનો સ્કોર વધાર્યો હતો. તો વિરાટ કોહલીએ પણ 40 બોલમાં 50 જેટલા રન બનાવ્યાં હતાં.
ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમશે ટીમ ઇંગ્લેન્ડ
9 નવેમ્બરનાં રમાયેલ સેમીફાઇનલની મેચમાં ન્યૂઝિલેન્ડની સામે પાકિસ્તાનની ટીમ જીતી હતી જેના કારણે આજની મેચમાં ઇંગ્લેન્ડનાં વિજય બાદ ટી20 વર્લ્ડકપનો છેલ્લો સ્ટેજ એટલકે ફાઇનલ મેચ પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.