ટી-20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી UAEમાં થશે. આ ટુર્નામેન્ટ ચાલુ વર્ષની શરૂઆતમાં થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે તેને UAEમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. ભારતને ચાલુ વર્ષે ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ એક ટીમ એવી છે, જે આ ટુર્નામેન્ટમાં જોઈન્ટ કિલર સાબિત થઇ શકે છે.
ટી-20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમે આ ટીમથી સંભાળવાની જરૂર
આ ટીમ મોટી-મોટી દિગ્ગજ ટીમોને ધૂળ ચટાડવામાં માહેર
ભારતને 2007ના વન-ડે વર્લ્ડ કપમાં હરાવી ટુર્નામેન્ટમાંથી બહાર ધકેલ્યું હતુ
ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ખાસ સંભાળવાની જરૂર
આ ટીમો મોટી-મોટી ટીમોને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર કરવામાં માહેર છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે આ ટીમથી ખાસ સંભાળવાની જરૂર છે. ગઈ વખતે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ બચી ગઇ છે. આ ટીમનું નામ બાંગ્લાદેશ છે. જે પોતાના ફોર્મમાં આવે તો મોટામાં મોટી દિગ્ગજ ટીમોને ધૂળ ચટાડવામાં માહેર છે. બાંગ્લાદેશની ટીમે લગભગ દરેક વર્લ્ડ કપમાં મોટી-મોટી ટીમોનું સપનું તોડ્યુ છે.
મોટી-મોટી ટીમોનો ઉત્સાહ છીનવવામાં માહેર
બાંગ્લાદેશે ભારતને 2007ના વન-ડે વર્લ્ડ કપમાં હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ધકેલી દીધુ હતુ. ત્યારબાદ સચિન તેંડુલકરથી લઇને વિરેન્દ્ર સહેવાગ અને રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ ઉદાસ થયા હતા. 2016ના ટી-20 વર્લ્ડ કપમાં પણ બાંગ્લાદેશે લગભગ ટીમ ઈન્ડિયાને ટુર્નામેન્ટમાંથી ફેંકી દીધુ હતુ. પરંતુ ધોનીના ઐતિહાસિક રન આઉટે ભારતની લાજ રાખી હતી. ભારતે આ મેચને 1 રનથી જીતી ટુર્નામેન્ટમાં ભારતીયોની આશાને જીવંત રાખી હતી.
ફોર્મમાં છે બાંગ્લાદેશની ટીમ
બાંગ્લાદેશની ક્રિકેટની મોટી ટીમોમાં ગણતરી થતી નથી. પરંતુ તેમ છતાં આ ટીમે ઘણી વખત દુનિયાની શ્રેષ્ઠ ટીમોનું દિલ તોડી નાખ્યું છે. તાજેતરમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને ટી-20 શ્રેણીની 5 મેચોમાંથી 4-1થી મ્હાત આપી હતી. બાંગ્લાદેશે ત્યારબાદ ન્યૂઝીલેન્ડને પણ ટી-20 શ્રેણીમાં 5 મેચમાંથી 3-2થી હાર આપી હતી.