કોરોના વાઇરસને લીધે છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ પૂરી રીતે ઠપ થઇ ગયું છે. અત્યારે કોઇને ખબર નથી કે ફરી ક્યારે ક્રિકેટ રમાશે. ક્રિકેટર્સ અને ફેન્સ માટે એક સારા અને એક ખરાબ સમાચાર આવ્યા છે.
ટી20 વર્લ્ડકપ 2022 સુધી પોસ્ટપોન થયો છે પરંતુ આ ઓક્ટોબરમાં IPL રમાવાની સંભાવના વધી ગઇ છે.
મળતા સમાચાર મુજબ બ્રોડકાસ્ટર ઇચ્છે છે કે, 2021 ટી20 વર્લ્ડકપ ભારતમાં જ થાય. આ વર્ષે કોઇ મૅચ લાઇવ ના રમાવાના કારણે ખેલના રેવન્યૂને સૌથી વધારે અસર થશે. આઇ.સી.સીનો રેવન્યૂ બ્રોડકાસ્ટના અધિકારથી આવે છે. ટી20 વર્લ્ડકપ 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે.
રણનીતિ પર ચર્ચા
રિપોર્ટની માનીએ તો 25 સપ્ટેમ્બરથી 1 નવેમ્બર વચ્ચે IPLના આયોજનની રણનીતિ પર વાતચીત થઇ છે. એક ફ્રેંચાઇઝીના એક અધિકારીએ કહ્યું છે કે, રણનીતિ પર ચર્ચા ચાલી રહી છે. વાત એ છે કે, વધારે પડતી ફ્રેન્ચાઇઝી વિદેશી ખેલાડીઓ સાથે જ IPL રમવા ઇચ્છે છે. કેરળના એક અધિકારીએ કહ્યું હતું કે, જો વિદેશી ખેલાડીઓ લીગમાં નહી આવે તો IPL બીજી વિજય હજારે ટ્રોફી બનીને રહી જશે.
તો હવે ટી20 વર્લ્ડકપ અને IPLની તારીખો ક્યારે ફાઇનલ થાય છે તે જોવું રહ્યું.