વિકેટકીપર બેટર રિષભ પંત પોતાના કંગાળ ફોર્મને કારણે ટીકાકારોના નિશાને છે. આ દરમ્યાન ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનુ મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે રિષભ પંત આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી ટી-20 વિશ્વ કપની તૈયારીઓનો મોટો અને અભિન્ન ભાગ છે.
ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનુ મોટુ નિવેદન
રિષભ પંત ટી-20 વિશ્વ કપની તૈયારીઓનો અભિન્ન ભાગ
કોઈ એક શ્રેણીના આધારે ખેલાડીનુ મૂલ્યાંકન ના કરાય
'રિષભ પંત અમારી યોજનાઓનો મોટો ભાગ'
દક્ષિણ આફ્રિકા સામે પાંચ મેચની ટી-20 શ્રેણીમાં ટીમનુ નેતૃત્વ કરનારા પંત 5 ઈનિંગમાં માત્ર 58 રન બનાવી શક્યા. જેનાથી સૌથી નાના ફોર્મેટમાં તેમની જગ્યાને લઇને સવાલ ઉઠવા લાગ્યા. દ્રવિડે સ્પષ્ટતા કરી કે પંત ટીમમાં જ રહેશે. પાંચમી મેચમાં વરસાદ પડવાને કારણે શ્રેણી 2-2થી બરાબરી થયા બાદ દ્રવિડે કહ્યું, ખાનગી રીતે તે વધુ રન બનાવવાનુ પસંદ કરતો. પરંતુ આ તેની સાથે સંબંધિત નથી. નિશ્ચિત રીતે તે આગામી થોડા મહિનામાં અમારી યોજનાઓનો મોટો ભાગ છે.
કોઈ એક શ્રેણીના આધારે ખેલાડીનુ મૂલ્યાંકન ના કરી શકાય
હકીકતમાં દ્રવિડ આઈપીએલ દરમ્યાન પંતની 158થી વધુ સ્ટ્રાઈક રેટથી પ્રભાવિત હતા. જેમાં આ વિકેટકીપર બેટરે દિલ્હી કેપિટલ્સ તરફથી 340 રન બનાવ્યાં હતા, જે અપેક્ષા અનુસાર ન હતા. મુખ્ય કોચનું મંતવ્ય સ્પષ્ટ હતુ કે તે કોઈ પણ એક શ્રેણીના આધારે કોઈ ખેલાડીનુ મૂલ્યાંકન નહીં કરે, પછી તે બેટીંગ હોય કે કેપ્ટનશિપ. દ્રવિડે કહ્યું, હું ટીકાત્મક વલણ અપનાવવા માંગતો નથી. મધ્યની ઓવરમાં થોડી આક્રમક ક્રિકેટ રમવાની જરૂર પડે છે. ક્યારેક-ક્યારેક બે અથવા ત્રણ મેચના આધારે મૂલ્યાંકન કરવુ મુશ્કેલ હોય છે.