ટી-20 ક્રિકેટના સુકાનીપદેથી વિરાટ કોહલીનો હટવાનો નિર્ણય જણાવે છે કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં કશું યોગ્ય ચાલી રહ્યું નથી. આ વાત પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર મુશ્તાક અહેમદે કહી છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે વિરાટ કોહલીના નિર્ણય પર કરી ટિપ્પણી
ભારતીય ડ્રેસિંગ રૂમમાં કશું યોગ્ય ચાલી રહ્યું નથી
એક સફળ કેપ્ટન કેપ્ટનશિપ છોડવા માંગે એટલે સમજો કે કઈક ગરબડ છે
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે વિરાટના નિર્ણય પર કરી ટીપ્પણી
ટી-20 વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે તેઓ વર્લ્ડ કપ બાદ ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડી દેશે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન પદેથી પણ હટી ગયા છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે વિરાટના નિર્ણય પર ટીપ્પણી કરતા કહ્યું, જ્યારે એક સફળ કેપ્ટન એવુ કહે છે કે તેઓ સુકાનીપદ છોડવા માંગે છે. તો સમજી લો કે ડ્રેસિંગ રૂમનો માહોલ યોગ્ય નથી. હું અત્યારે ભારતીય ડ્રેસિંગ રૂમમાં 2 ગ્રુપ જોઈ રહ્યું છે. એક મુંબઈ અને બીજુ દિલ્હી. મુશ્તાકે એવુ પણ કહ્યું કે મને લાગે છે કે કોહલી ટૂંક સમયમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે. જોકે, તેઓ IPLમાં રમવાનું યથાવત રાખી શકે છે.
મુશ્તાક ટીમ ઈન્ડિયાને જલ્દી બહાર થવાનું કારણ પણ IPLને માને છે. મુશ્તાક કહે છે, હું રવિ શાસ્ત્રીથી સહમત છું કે ભારતીય ખેલાડી ટી-20 વર્લ્ડ કપ માટે માનસિક રૂપે તૈયાર ન હતા. તેઓ IPL બાદ ખૂબ થાકી ગયા હતા. આ જ કારણ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ ના કરી શકી.
ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં કોહલીને આરામ
ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડનારા કોહલીને 17 નવેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે શરૂ થનારી શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.