ટી-20 વર્લ્ડ કપ માટે મહેન્દ્રસિંહ ધોનીની મેન્ટર નિયુક્તી વિવાદમાં સપડાઈ છે. BCCI ની ટોચની પરિષદે ધોની સામે હિત ટકરાવની ફરિયાદ કરી છે.
ટી-20 વર્લ્ડ કપ માટે મહેન્દ્રસિંહ ધોનીની મેન્ટર નિયુક્તી વિવાદમાં
ધોની સામે હિત ટકરાવની ફરિયાદ
મધ્યપ્રદેશ ક્રિકેટ સંગઠનના પૂર્વ અધિકારી સંજીવ ગુપ્તાએ BCCI ને લખ્યો પત્ર
ધોની ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન, બીજા હોદ્દા પર ન રહી શકે-ફરિયાદ
ટી-20 વર્લ્ડ કપ માટે ધોનીની મેન્ટર તરીકે નિયુક્તી થઈ છે
શું છે આખો મામલો
લોઢા કમિટિના સુધારા પ્રમાણે કોઈ વ્યક્તિ બે હોદ્દા પર ન રહી શકે. ફરિયાદીના જણાવ્યાનુસાર ધોની આપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે અને હવે તેની મેન્ટર તરીકેની નિયુક્તી નિયમોની વિરૃદ્ધ છે. ફરિયાદીએ એવું પણ જણાવ્યું કે BCCI ના બંધારણની કલમ 38 (4) નું ઉલ્લંઘન છે.
કોણે ફરી ફરિયાદ
ટી-20 વર્લ્ડ કપ માટે મેન્ટર તરીકે ધોનીની નિયુક્તીની ફરિયાદ મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ અધિકારી સંજીવ ગુપ્તાએ કરી છે. સંજીવ ગુપ્તાએ BCCI ની ટોચની પરિષદને કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું કે ધોની આપીએલ ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન છે અને હવે તેની મેન્ટર તરીકેની નિયુક્તી નિયમોની વિરૃદ્ધ છે. ઉલ્લેખનીય છે કે સંજીવ ગુપ્તા આ પહેલા પણ ઘણા ખેલાડી અને બોર્ડના પદાધિકારીઓની સામે ફરિયાદ કરી ચૂક્યા છે.
BCCI નું શું કહેવું છે
BCCIના એક સૂત્રે જણાવ્યું કે સંજીવ ગુપ્તાએ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહને પત્ર લખીને ફરિયાદ કરી છે. હવે એપેક્સ કાઉન્સિલ લીગલ ટીમ આ મુદ્દે વાતચીત કરશે અને સમયાનુસાર યોગ્ય નિર્ણય લેશે.
માહી બે વખતના વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કેપ્ટન રહી ચૂક્યા છે
બીસીસીઆઈના સચિવ જય શાહે બુધવારે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી અને આ પ્રસંગે ધોનીને આઈસીસી ટુર્નામેન્ટ માટે ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિકેટકીપર બેટ્સમેન ધોની, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાંનો એક છે, જેણે ભારતને બે વર્લ્ડ કપ ખિતાબ અપાવ્યા છે - દક્ષિણ આફ્રિકામાં 2007 ટી -20 વર્લ્ડ કપ અને ભારતમાં 2011 વનડે વર્લ્ડ કપ. ધોની હાલમાં તેની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે અને સંયુક્ત આરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થનારી ટી 20 લીગની તૈયારી કરી રહ્યો છે.
ગયા વર્ષે નિવૃત્તિ લીધી
ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ધોનીની નિવૃત્તિની જાહેરાતએ વિશ્વ ક્રિકેટને આશ્ચર્યમાં મૂકી દીધું હતું અને ત્યારથી તેણે એકવાર પણ તેના વિશે વાત કરી નથી. ધોનીએ ભારત માટે અનુક્રમે 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી 20 આંતરરાષ્ટ્રીયમાં 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તેણે પોતાની અંગત પ્રતિબદ્ધતાઓ સુધી પોતાની જાતને સીમિત રાખી છે. તેમનું સમગ્ર ધ્યાન રાંચીમાં તેમના ઘરે તેમની આઈપીએલ પ્રતિબદ્ધતાઓ અને ઓર્ગેનિક ખેતી પર છે.