ગ્રુપ મેચ પૂર્ણ થયા બાદ વરસાદ નૉકઆઉટ મેચને નુકસાન ના પહોંચાડે તેના માટે આઈસીસીએ દર વખતની જેમ આ વખતે પણ વ્યવસ્થા ગોઠવી છે. સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ વરસાદથી બરબાદ ના થાય અને તેની મજા બગડે નહીં તેના માટે આઈસીસીની યોજના પાક્કી છે.
વરસાદના કારણે મેચમાં નુકસાન ન થાય તે માટે આઈસીસીએ બનાવી યોજના
આઈસીસીએ દર વખતની જેમ આ વખતે પણ વ્યવસ્થા ગોઠવી
ટી20 વિશ્વ કપની ઘણી મેચમાં આ વખતે વરસાદ પડ્યો
વરસાદના કારણે મેચમાં આવ્યું વિધ્ન
આઈસીસી ટી20 વિશ્વ કપમાં આ વખતે ઘણા ઉલટફેર જોવા મળ્યાં છે. તો અમુક મેચમાં વરસાદ પડ્યો છે. ટુર્નામેન્ટના સુપર 4માં સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબ્વેની મેચમાં વરસાદ પડ્યો. જેનુ પરિણામ પ્રોટીયાઝ ટીમને વર્લ્ડ કપમાંથી આઉટ થઇને ચૂકવવુ પડ્યુ. ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની મેચ પણ વરસાદના કારણે ના રમાઈ. અફઘાનિસ્તાન અને આયરલેન્ડની મેચ પર પણ પાણી ફરી વળ્યું. તો યજમાન ઓસ્ટ્રેલિયાની ઈંગ્લેન્ડ સાથે મેચ પણ વરસાદના કારણે ના રમાઈ. ગ્રુપ મેચ માટે આઈસીસી મેચ વરસાદના કારણે ખરાબ થવાથી 1-1 પોઈન્ટ ટીમોમાં વહેંચી દે છે, પરંતુ નોકઆઉટમાં આવુ કરી શકાય નહીં. જેના કારણે આવી મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવે છે.
વરસાદ માટે આઈસીસીની યોજના
ટુર્નામેન્ટમાં વરસાદ જો નોટ આઉટ મેચ દરમ્યાન થાય છે તો તેના માટે આઈસીસીએ દર વખતની જેમ એક દિવસ અલગથી રાખ્યો છે. સેમી ફાઈનલ અને ફાઈનલ માટે રિઝર્વ ડેને રાખવામાં આવ્યો છે, જેનો અર્થ જો પહેલા દિવસે મેચ ના થાય તો બીજા દિવસે રમાઈ શકે. કોઈ કારણોસર જો બીજા દિવસે પણ મેચ ના રમાય તો તેની સંભાવના ઓછી છે, તો પછી નિયમોના આધારે ટીમ આગળ જશે.
શુ કહે છે રિઝર્વ ડેનો નિયમ
આઈસીસી ટુર્નામેન્ટમાં જો નૉકઆઉટ દરમ્યાન વરસાદ વિધ્ન લાવે છે તો તેના એક દિવસ બાદ મેચ પૂરી થવાનો સમય હોય છે. જો પહેલા દિવસે મેચ દરમ્યાન વરસાદ થાય છે અને તેને પૂરી કરવામાં ન આવે તો બીજા દિવસે મેચ આ સ્કોરથી શરૂ થાય છે અને મેચને પૂર્ણ કરવામાં આવે છે.