ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે થવા જઈ રહેલા મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી. રોહિત શર્માએ અહીં પ્લેઈંગ-11ને લઈને વાત કરી અને કહ્યું કે મેલબર્નના વાતાવરણ પર ઘણુ બધુ આધાર રાખે છે.
ભારત પાકિસ્તાન મેચ પહેલા રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ
ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 વિશે કરી વાત
મેલબર્નના વાતાવરણ પર આપ્યું નિવેદન
T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રવિવારે મહામુકાબલો થવા જઈ રહ્યો છે. સુપર-12 સ્ટેજમાં બન્ને ટીમની આ પહેલી મેચ છે. એવામાં બન્ને તરફથી મેચ જીતવાનો પ્રયત્ન થશે. મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની રણનીતિનો ખુલાસો કર્યો. રોહિત શર્માને પ્લેઈંગ-11ને લઈને પણ સવાલ કરવામાં આવ્યો. જેના પર ખૂબ મજેદાર જવાબ આપ્યો છે.
પાકિસ્તાન વિરૂદ્ધ ક્યા હશે પ્લેઈંગ-11?
કેપ્ટન રોહિત શર્માને જ્યારે પાકિસ્તાન સામે 23 ઓક્ટોબરે થવા જઈ રહેલી મેચમાં પ્લેઈંગ-11 વિશે પુછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે ઘણુ બધુ વાતાવરણ પર પણ નિર્ભર કરે છે. મેદાનની કંડિશન કેવી રહે છે અને મેચ વખતે પિચ કયા પ્રકારની રહે છે તે જોવાનું રહેશે. એવામાં અમે તે સમયે જ નક્કી કરીશું કે બેસ્ટ પ્લેઈંગ-11 કોણ હશે.
દરેક મેચમાં બદલશે પ્લેઈંગ-11?
કેપ્ટન રોહિત શર્માએ અહીં પોતાની ચોંકાવનારી રણનીતિનો પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે તે પ્લેઈંગ-11 માટે સંપૂર્ણ રીતે ઓપન છે. એવામાં જો દરેક મેચમાં ટીમ અને કંડીશનના હિસાબથી પ્લેઈંગ-11માં એક-બે ફેરફાર કરવા પડે તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના સુપર-12 સ્ટેજમાં કુલ 5 મેચ રમવામાં આવે છે. જો ટીમ ઈન્ડિયા ત્રણ કે તેનાથી વધારે મેચ જીતે છે તો સેમીફાઈનલની ટિકિટ પાક્કી થઈ જશે. એવામાં ટીમ ઈન્ડિયા વિનિંગ કોમ્બિનેશન પર પણ ફોકસ કરવા માંગે છે.