ભારતીય ટીમના સીલેક્શન પર મોટુ પ્રશ્ન ઉભો થઈ ગયો છે. ભારતની નેક્સ્ટ મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે.
31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને ઈન્ડિયાની મેચ
આ પ્લેયરોનું પત્તી થઈ શકે છે સાફ
જાણો ટીમ ઈન્ડિયામાં થવા જઈ રહેલા મોટા ફેરફાર વિશે
ભારત માટે ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત ખૂબ જ ભયાનક રહી હતી અને પહેલી જ મેચ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું છે. આ હાર બાદ ભારતીય ટીમના સિલેક્શન પર ખૂબ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો છે. ભારતની હવે પછીની મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે. જો આ મેચમાં પણ ટીમ ઈન્ડિયા હારી તો તેના પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું સંકટ છે. એવામાં ટીમ ઈન્ડિયા પાસે જીતવા સીવાય કોઈ અન્ય વિકલ્પ નથી.
ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટા ફેરફાર
ન્યૂઝીલેન્ડના વિરૂદ્ધ નેક્સ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને વરૂણ ચક્રવર્તીનું સ્થાન ખતરામાં છે. વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં અશ્વિનની જગ્યા પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવામાં આવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો અને હવે ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 3 મોટા ફેરફાર થઈ શકે છે. જે આ પ્રકારે છે.
શાર્દૂલ ઠાકુર
હાર્દિક પંડ્યા પાછલા થોડા સમયથી બોલિંગ નથી કરી શકતો. પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં હાર્દિક પંડ્યાને બેસ્ટમેન તરીકે શામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યા કંઈ ખાસ ન કરી શક્યા. એવામાં ટીમને સંતુલિત કરવા માટે શાર્દુલ ઠાકુરને તેની જગ્યા પર તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ઠાકુર બોલિંગ અને બેટિંગથી કમાલ કરી શકે છે.
ઈશાન કિશન
સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ પ્રદર્શન નથી કરી શકતા. પાછલા લાંબા સમયથી આ ખેલાડીનો ફ્લોપ શો ચાલી રહ્યો છે. એવામાં આ ખેલાડીની ખરાબ ફોર્મના કારણે ભારતને પાકિસ્તાન વિરૂદ્ધ ટી20 વર્લ્ડ કપમાં મેચમાં મેચ પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો. સૂર્યકુમાર યાદવને આ મેચમાં નંબર 4 જેવી મુખ્ય બેટિંગ પોઝીશન પર તક આપવામાં આવી હતી પરંતુ તેમે ભરોશો તોડી નાખ્યો અને 11 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. એવું લાગી રહ્યું છે કે આ વખતે ટીમમાં ઈશાન કિશનને સ્થાન મળી શકે.
આર અશ્વિન
વરૂણ ચક્રવર્તીને પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં અશ્વિનની જગ્યા પર પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ કેપ્ટન કોહલીનો આ નિર્ણય ખોટો સાબિત થયો. વરૂણ ચક્રવર્તીએ આ મેચમાં 4 ઓવરની બોલિંગમાં 33 રન આપ્યા હતા અને તેમણે એક પણ વિકેટ ન હતી લીધી. 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ મેચમાં વરૂણ ચક્રવર્તીની છુટ્ટી થઈ શકે છે. અને અશ્વિનને મોકો મળી શકે છે.