IPL 2021ની 47મી મેચમાં સીએસકેનો સામનો રાજસ્થાન રોયલ્સ સાથે થયો હતો. આ મેચમાં રાજસ્થાનના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરીને પોતાની ટીમને 7 વિકેટથી જીત અપાવી હતી. આ મેચમાં ભલે ચેન્નઈ સુપર કિંગ્સે હારનો સામનો કર્યો હોય. પરંતુ આ મેચ તેમની ટીમના ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ માટે યાદગાર રહી. ગાયકવાડે આ મેચમાં યાદગાર સદી ફટકારી.
IPL 2021ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સનો વિજય
ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન માટે આ મેચ રહી યાદગાર
ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં અણનમ 101 રન ફટકાર્યા
ગાયકવાડની સદી
ઋતુરાજ ગાયકવાડે 60 બોલમાં 168.33ની સ્ટ્રાઈક રેટથી અણનમ 101 રન ફટકાર્યા. આ ઈનિંગમાં તેમણે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. સૌથી રસપ્રદ વાત એ છે કે ગાયકવાડે 20મી ઓવરના છેલ્લાં બોલમાં છગ્ગો ફટકારી સદી પૂર્ણ કરી. આ તેમની આઈપીએલ કારકિર્દીની પહેલી સદી છે. આ સાથે તેઓ આઈપીએલ સિઝનમાં સદી ફટકારનારા ચોથા બેટ્સમેન બની ગયા છે.
— Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) October 2, 2021
ટી-20 વર્લ્ડ કપમાં મળશે એન્ટ્રી?
ગાયકવાડે સદી બનાવ્યાં બાદ આ વાત પર ભાર અપાઈ રહ્યો છે કે તેમને ટી-20 વર્લ્ડ કપ 2021માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી શકે છે. ગાયકવાડ ચાલુ વર્ષે સારા ફોર્મમાં છે અને તેમની પાસે હવે આઈપીએલની ઓરેન્જ કેપ પણ આવી ગઇ છે. એવામાં જો તેમને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવે તો કોઈ આશ્ચર્યની વાત નથી. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ ટીમમાં 10 ઓક્ટોબરે ફેરફાર થઇ શકે છે.
શું આ ખેલાડીનું પત્તુ કપાશે?
જો ઋતુરાજ ગાયકવાડને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન આપવામાં આવે તો સામાન્ય વાત છે કે એક ખેલાડીને બહારનો રસ્તો બતાવવામાં આવશે. આ ખેલાડી બીજુ કોઈ નહીં, પરંતુ ઈશાન કિશન હશે. ઈશાન કિશનને શિખર ધવનના સ્થાને વર્લ્ડ કપ ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આઈપીએલમાં તેમનું ફોર્મ ખૂબ ખરાબ રહ્યું છે. જેને પગલે તેમને મુંબઈ ઈન્ડિયન્સે પણ ડ્રોપ કર્યા છે. એવામાં વર્લ્ડ કપ ટીમમાંથી પણ તેમને બહારનો રસ્તો બતાવાઈ શકે છે.