શાર્દૂલ ઠાકુરનો ટીમમાં પ્રવેશ થયા બાદ હવે સ્પષ્ટ થયુ છે કે હાર્દિક પંડ્યા ટી-20 વિશ્વ કપમાં બોલિંગ કરી શકશે નહીં. તેઓ ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે રમશે. બીસીસીઆઈની મેડિકલ ટીમે 2 દિવસ પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી હાર્દિકનો ફિટનેસ રિપોર્ટ લીધો હતો.
ટી-20 વિશ્વ કપમાં હાર્દિક પંડ્યા બોલિંગ નહીં કરે
હાર્દિક પંડ્યા વિશ્વ કપમાં બેટિંગ કરશે
મેડિકલ ટીમે પુષ્ટિ કર્યા બાદ BCCIએ ભારતીય ટીમમાં કર્યો ફેરફાર
હાર્દિક પંડ્યા બોલિંગ નહીં કરે: BCCIના એક અધિકારીની પુષ્ટિ
આ દરમ્યાન ટીમે બોર્ડને માહિતી આપી હતી કે હાર્દિક પંડ્યા વિશ્વ કપમાં બોલિંગ કરવા માટે સ્વસ્થ નથી. મેડિકલ ટીમે પુષ્ટિ કર્યા બાદ બીસીસીઆઈ ટી-20 વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવા મજબુર બની. બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીઓમાંથી એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, હાર્દિક બોલિંગ કરી શકશે નહીં આ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ તેઓ વિશ્વકપમાં બેટ્સમેન તરીકે રમશે. જો ટુર્નામેન્ટ દરમ્યાન તેઓ સ્વસ્થ થઇ જશે તો તેઓ બોલિંગ પણ કરી શકશે. પરંતુ હાલ તો તેઓ બોલિંગ કરી શકશે નહીં. અમને અક્ષર પટેલ માટે પણ દુ:ખ છે. પરંતુ એક સંતુલિત ટીમ માટે અક્ષરે શાર્દૂલ ઠાકુર માટે રસ્તો બનાવવો પડ્યો.
અંતિમ સમયે પસંદગીકારો શાર્દૂલને ભારતીય ટીમમાં લાવ્યાં
પસંદગીકારોએ એક દિવસ પહેલાં જ અક્ષર પટેલના સ્થાને 15 ખેલાડીઓની ટીમમાં ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરને જગ્યા આપી. પસંદગીકારોએ પહેલાં ટી-20 વિશ્વ કપ માટે જે ટીમ પસંદ કરી હતી. તેમાં જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી તરીકે 3 ઝડપી બોલર હતા. એવુ મનાઈ રહ્યું હતુ કે હાર્દિક ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ હાર્દિકે આઈપીએલના બીજા તબકક્કામાં જ એક પણ બોલ ફેંક્યો નથી. આ જ કારણ છે કે અંતિમ સમયે પંસદગીકારો શાર્દૂલને ભારતીય ટીમમાં લાવ્યાં.