ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી. જેમાં અમુક ભારતીય ખેલાડીઓને પડતા મુકાયા. બીસીસીઆઈના એક નિર્ણયે વિશ્વભરના ક્રિકેટ પ્રશંસકોને ચોંકાવી દીધા.
ભારતીય ટીમના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલને ટી-20 વર્લ્ડ કપમાં તક ન અપાઈ
સારા કર્મો હંમેશા સાથ આપે છે, આ કપરો સમય જતો રહેશે
ચહલની પત્ની ધનશ્રી વર્માએ લખી પોસ્ટ
ભારતીય ટીમના સૌથી સારા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડ કપમાં રમવાની તક આપવામાં આવી નથી.આ દરમ્યાન હવે ચહલની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર એક લાગણીશીલ પોસ્ટ લખી પોતાના દિલની વાત મુકી છે. વર્લ્ડ કપ ટીમમાંથી ચહલને તક ના આપતા તેમની પત્ની ધનશ્રી વર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, માં કહે છે કે આ સમય પણ જતો રહેશે. સંપૂર્ણ સન્માન સાથે જીવો. કારણકે સારી ટેવ અને સારા કર્મો હંમેશા સાથ આપે છે. આ કપરો સમય પણ જતો રહેશે. ભગવાન હંમેશા મહાન છે. ધનશ્રી વર્માની આ પોસ્ટ ત્યારે સામે આવી જ્યારે તેમને જાણવા મળ્યું કે તેમની પત્ની અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સ્થાન મળ્યું નથી.
ટી-20 ફોર્મેટમાં સૌથી સફળ બોલર છે ચહલ
યુઝવેન્દ્ર ચહલ ટી-20 ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલર છે. આ ફોર્મેટમાં ચહલથી વધુ વિકેટ કોઈ પણ બીજો ભારતીય બોલર લઇ શક્યો નથી. ચહલે ટી-20માં 49 મેચોમાં 63 વિકેટ લીધી છે. આ દરમ્યાન તેમણે 25 રન આપી 6 વિકેટ લીધી છે. આ જ સૌથી મોટું કારણ છે કે ચહલને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન મળતા મોટા-મોટા દિગ્ગજો પણ હેરાન છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ કપ ટીમમાં ઘણાં યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ ચાહરનું નામ સામેલ છે. જ્યારે સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વરૂણ ચક્રવર્તીનું નસીબ ચમક્યુ છે, કારણકે ચહલ જેવા ખેલાડીના બદલે તેણે ટીમમાં સ્થાન મેળવ્યું છે.