T20 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં ભારત 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમશે. આ મેચ પહેલા બાબર આઝમ અને વિરાટ કોહલીની પ્રતિક્રિયા આવી છે.
ઓમાનમાં શરૂ થશે T20 વર્લ્ડ કપ
બાબર આઝમે આપી પ્રતિક્રિયા
વિરાટ કોહલીએ બોલતી કરી બંધ
T20 વર્લ્ડ કપ આજથી યુએઈ અને ઓમાનમાં શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં જે મેચ પર આખી દુનિયાની નજર છે તે ભારત અને પાકિસ્તાનની વચ્ચે થનાર મુકાબલો છે. આ બન્ને ટીમો આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં આમને સામને આવે એટલે મેચ પર આખી દુનિયાની નજર હોય છે. આ મેચ પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલી અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ મેચ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
કોહલીએ આપ્યો બાબરને જવાબ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને હાઈપને તુલ ન આપતા કહ્યું કે ટિકટોની ભારે માંગ હોવા છતાં તેમના માટે તે એક સામાન્ય મેચની જેવી છે. વિશ્વ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાનથી ક્યારય હારી નથી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તેમની ટીમ 24 ઓક્ટોબરે આ મેચ જરૂરથી જીતી જશે. કોહલીએ કહ્યું કે તે મોટા મોટા દાવા કરવામાં વિશ્વાસ નથી રાખતા.
ભારત-પાક મેચ પર કહી આ વાત
જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તેમને ભારત-પાકિસ્તાન મેચ કંઈક અલગ લાગે છે. તો તેમણે કહ્યું કે, મને ક્યારેય એવું લાગ્યું નથી. મને તે બીજી મેચોની જેમ જ લાગે છે. મને ખબર છે કે આ મેચને લઈને ખૂબ હાઈપ છે ખાસ કરીને ટિકિટોની માંગ અને વેચાણને લઈને, "તેમણે મઝાકિયા અંદાજમાં કહ્યું કે તેમણે ટિકિટ માંગવા વાળા ઘણા મિત્રોને ઈનકાર કરવો પડ્યો." તેમણે કહ્યું, " આ સમયે તે ટિકિટોના ભાવ ખૂબ જ વધારે છે. મને એટલીજ ખબર છે. મારા મિત્રો મારી પાસે છે ટિકિટ માંગી રહ્યા છે અને મારે તેમને ઈનકાર કરવો પડી રહ્યો છે. "
અમારા માટે આ મેચ એક સામાન્ય મેચ- કોહલી
કોહલીએ કહ્યું- "અમારા માટે આ ક્રિકેટની બાકી મેચની જેમ એક મેચ જ જેવી જ છે. અને અમે તેવી ભાવના સાથે જ આ મેચ રમવા માંગીએ છીએ. બહારથી અથવા દર્શકોની નજરમાં માહોલ અલગ હોઈ શકે છે. પરંતુ ખેલાડીઓનો આ બાબતે ખૂબ જ પ્રોફેશનલ હોય છે. અમે સામાન્ય મેચની જેમ જ દરેક મેચ રમવા માંગીએ છીએ."