T20 World Cup 2021માં જે મેચ પર દુનિયાની નજર હશે તે છે ભારત અને પાકિસ્તાનની મેચ.
ભારત-પાકિસ્તાન સામે જામશે મુકાબલો
જાણો શું થઈ છે જીત માટે ભવિષ્ય વાણી
યુએઈ અને ઓમાનમાં થશે વર્લ્ડ કપની શરૂઆત
ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટી20 વર્લ્ડ કપનો મુકાબલો હવેથી થોડા દિવસો બાદ થશે. આ મુકાબલા પર દુનિયાભરના ક્રિકેટ ફેન્સની નજર છે. આ બન્ને ટીમ જ્યારે આઈસીસી ટૂર્નામેન્ટ્સમાં સામ સામે આવે છે તો આખી દુનિયાની નજર આ મેચ પર હોય છે. આ મેચને લઈને એક મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે કે કઈ ટીમ મેચ જીતશે?
ભારત અને પાકિસ્તાનમાંથી કોણ જીત્યું મેચ?
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અજીત આગરકરનું માનવું છે કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો વિશ્વ કપમાં સામ સામે આવે છે તો દાવ હંમેશા ઉંચો રહે છે. તેમણે સાથે જ કહ્યું કે પાકિસ્તાનની ટીમ ભારતીય ટીમના ફોર્મ અને રણનીતિને જોતા કદાચ તે સ્તરની રણનીતી રજૂ ન કરી શકે.
અગર કરે જણાવ્યું, "ભારત અને પાકિસ્તાનની ટીમ જ્યારે પણ આમને સામને આીવ દાંવ હંમેશા ઉંચા રહ્યા છે. પરંતુ ઈન્ડિયાની હાલની ફાર્મને જોતા મને નથી લાગતું કે પાકિસ્તાન વધારે પડકાર આપી શકશે. જોકે આપણે તેમને હલ્કામાં ન લેવું જોઈએ કારણ કે ક્રિકેટ એક શાનદાર રમત છે અને વસ્તુઓ કોઈ પણ ક્ષણે બદલાઈ શકે છે. ખાસ કરીને ટી20 ફોર્મેટમાં."
2007ની જીતને કરી યાદ
2007 ટી 20 વિશ્વ કપ જ્યાં ફાઈનલમાં ભારતને પાકિસ્તાનને હરાવી હતી. તેના પર તેમણે કહ્યું, "2007 ટી 20 વિશ્વ કપની પુરી ટુર્નામેન્ટ અમારા માટે સપનાનો સમય હતો. અમે ન હતું વિચાર્યું કે યુવાઓની આ ટીમ ઉપલબ્ધિ હાસેલ કરી શકે છે તે પણ પાકિસ્તાનના વિરૂદ્ધ. મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મુકાબલો હંમેશા ભાવનાઓ જ્યારની લહેર લાવે છે અને તે વિશ્વ કપમાં સૌથી વધારે પ્રત્યાશિત મુકાબલામાંથી એક હોય છે."
24 ઓક્ટોબરે છે ધમાસાન
ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે ટી 20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ રમશે. આ મેચ સૌથી મોટી દુશ્મન પાકિસ્તાની ટીમના વિરૂદ્ધ થશે. જણાવી દઈએ કે વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં થઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને માત આપવા માટે આ મેચ જીતવા માંગે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી ક્યારેય પણ પાકિસ્તાનની ટીમ ભારતને વર્લ્ડ કપ મેચોમાં હરાવી નથી શકી.