દિનેશ કાર્તિક અને ઋષભ પંત બંને એ અત્યાર સુધીમાં ટી-20 વર્લ્ડ કપમાં કોઈ ખાસ કમાલ બતાવ્યો નથી.
પંત માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો હતો
દિનેશ કાર્તિકને ચાર મેચમાં તક આપવામાં આવી હતી
સેમિફાઇનલમાં કોણ બનાવશે જગ્યા?
દિનેશ કાર્તિક અને ઋષભ પંત બંનેના પ્રદશને ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો કર્યો છે. જો કે ટીમ ઈન્ડિયા આ ટુર્નામેંટના સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ સુપર-12ની 5માંથી 4 મેચ જીતીને ટીમ ટેબલમાં નંબર-1 પર રહી છે. ટીમ ઈન્ડિયા માત્ર એક મેચ દક્ષિણ આફ્રિકાથી હાર્યા હતા એ છતાં પણ સેમી ફાઇનલ સુધી પંહોચી હાઇ છે. જણાવી દઈએ એક હવે ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ મેચ રમશે. આપણે બધા જાણીએ છીએ કે ભારત 15 વર્ષથી T20 વર્લ્ડ કપના ટાઇટલને જીતવાની રાહ જોઈ રહ્યું છે.
પંત માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે સુપર-12 ના ગ્રુપ-2 ની આ છેલ્લી મેચમાં ભારતનો વિજય થયો હતો. T20 વર્લ્ડ કપની ગઇકાલની મેચમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું અને આ સાથે ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં ટોપર બની ગઈ હતી. જો કે ગઇકાલે ઝિમ્બાબ્વે સામે રમાયેલી મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા પછી ઘણા સવાલો ઉભા થયા હતા. જણાવી દઈએ કે ઋષભ પંત આ મેચમાં ફ્લોપ સાબિત થયો હતો અને માત્ર 3 રન બનાવીને પવેલીયન પરત ફર્યો હતો. T20 વર્લ્ડ કપની એકમાત્ર આ મેચ હતી જેમાં ભારત માટે વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
હજુ પણ પંત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી
જો કે ઋષભ પંતના આવા ખરાબ પ્રદશન પછી પણ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, 'અમે હજુ પણ પંત પરથી વિશ્વાસ ગુમાવ્યો નથી. તેણે નેટ્સમાં ઘણી બેટિંગ કરી છે અને વિકેટકીપિંગની પણ ઘણી પ્રેક્ટિસ કરી છે અને તે તૈયાર છે. 'જણાવી દઈએ કે દ્રવિડ ડાબા હાથના સ્પિનર સીન વિલિયમ્સ સામે ભલે ખરાબ શૉટ રમ્યો હતો એ છતાં પણ પંતના અભિગમથી તે ખુશ છે.
દિનેશ કાર્તિકને ચાર મેચમાં તક આપવામાં આવી હતી
રાહુલ દ્રવિડે કહ્યું હતું કે કે 'ઝિમ્બાબ્વે સામે ભલે પંતનું વલણ કામ ન કર્યું પણ હું તેને લઈને જરા પણ પરેશાન નથી. તેનો નિર્ણય સાચો હતો.' આપણે બધા જાણીએ જ છીએ કે દિનેશ કાર્તિકને પહેલી 4 મેચમાં તક મળી હતી પણ તે કોઈ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. જણાવી દઈએ કે દિનેશ કાર્તિકે પાકિસ્તાન સામે 1, દક્ષિણ આફ્રિકા સામે 6 અને બાંગ્લાદેશ સામે 7 રન બનાવ્યા હતા.
સેમિફાઇનલ પહેલા ટીમને આશા છે કે દરેક ખેલાડીઓ તેના લયમાં આવી જાય. જો કે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ અત્યાર સુધી પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. ભલે તેને નેધરલેન્ડ સામે 53 રન બનાવ્યા હતા પણ અન્ય ચારમાંથી કોઈપણ મેચમાં એ 20 રનના આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. એ સામે જ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં 3-3 અડધી સદી ફટકારી છે.